ભારતીય રિઝર્વ બેંકે ધી હાલોલ મર્કેન્ટાઈલ કો-ઑપરેટીવ બેંક લિ., જીલ્લો પંચમહાલ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ. duplicate 0 - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે ધી હાલોલ મર્કેન્ટાઈલ કો-ઑપરેટીવ બેંક લિ., જીલ્લો પંચમહાલ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ
ભારતીય રિઝર્વ બેંકે 23 જાન્યુઆરી 2025 ના રોજના એક આદેશ દ્વારા, માર્કેટયાર્ડ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, ઊંઝા, જિલ્લો મહેસાણા, ગુજરાત (બેંક) પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા ‘યુસીબીનાં નફામાંથી જાહેર/સખાવતી હેતુસાર દાન/ફાળો આપવો’, ‘જ્યાં નિર્દેશકો, તેમના સગાવ્હાલાં હોદ્દો ધારણ કરતા હોય અથવા તેમનું હિત હોય તેવા ટ્રસ્ટ અને સંસ્થાઓને દાન આપવું’, ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ અને ‘આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી) માનદંડ' પર જારી કરાયેલા કેટલાક નિર્દેશોનું પાલન ન કરવા બદલ ₹5.50 લાખ (રૂપિયા પાંચ લાખ પચાસ હજાર માત્ર) નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 ની કલમ 46(4)(i) અને કલમ 56ની સાથે પઠિત કલમ 47એ(1)(સી) ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે. 31 માર્ચ, 2023 ના રોજની બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) કરવામાં આવ્યું હતું. ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોના ઉલ્લંઘન અંગેના પર્યવેક્ષણીય તારણો અને તે સંબંધિત પત્રવ્યવહારના આધારે બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, ભારતીય રિઝર્વ બેંકના જાણવામાં આવ્યું કે, અન્ય બાબતોની સાથે, બેંક વિરુદ્ધના નીચેના આરોપો સાબિત થયા છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે: બેંકે : (૧) ટ્રસ્ટ ને નિર્ધારિત મર્યાદા કરતાં વધારે દાન આપ્યું હતું; (૨) એવાં અમુક ટ્રસ્ટ માં દાન કર્યું હતું જેમાં તેના નિર્દેશક હિત ધરાવતા હતા; (૩) નિર્દેશકો સંબંધિત ઋણ મંજૂર કરી હતી; અને (૪) ન્યૂતમ છ મહિનામાં એક વખત કેટલાક ખાતાઓના જોખમ સંવર્ગીકરણની સામયિક સમીક્ષા કરી નહોતી. આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો.
(પુનીત પંચોલી) પ્રેસ જાહેરાત: 2024-2025/2015 |