RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

131632352

ભારતીય રિઝર્વ બેંકે શ્રી ધંધુકા જનતા સહકારી બેંક લિમિટેડ, ધંધુકા, જિલ્લો અમદાવાદ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંકે 16 ડિસેમ્બર, 2024 ના રોજના એક આદેશ દ્વારા, શ્રી ધંધુકા જનતા સહકારી બેંક લિમિટેડ, ધંધુકા, જિલ્લો અમદાવાદ, ગુજરાત (બેંક) પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા 'પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો દ્વારા રોકાણ' અને ‘આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી) માનદંડ' પર જારી કરાયેલા કેટલાક નિર્દેશોનું પાલન ન કરવા બદલ ₹2.50 લાખ (રૂપિયા બે લાખ પચાસ હજાર માત્ર) નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 ની કલમ 46(4)(i) અને કલમ 56ની સાથે પઠિત કલમ 47એ(1)(સી) ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

31 માર્ચ, 2023 ના રોજની બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) કરવામાં આવ્યું હતું. ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોના ઉલ્લંઘન અંગેના પર્યવેક્ષણીય તારણો અને તે સંબંધિત પત્રવ્યવહારના આધારે બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, ભારતીય રિઝર્વ બેંકના જાણવામાં આવ્યું કે, અન્ય બાબતોની સાથે, બેંક વિરુદ્ધના નીચેના આરોપો સાબિત થયા છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે:

બેંક:

(૧) ‘પરિપક્વતા સુધી રાખવામાં’ નામની શ્રેણી હેઠળ રોકાણો રાખવાની ટોચમર્યાદાનું ઉલ્લંઘન કરી રહી હતી;

(2) વિવેકપૂર્ણ આંતર-બેંક કુલ અને પ્રતિપક્ષ એક્સપોઝર મર્યાદાનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી; અને

(૩) નિર્ધારિત સમયમર્યાદામાં ગ્રાહકોના KYC રેકોર્ડ્સ કેન્દ્રીય KYC રેકર્ડ રજીસ્ટ્રી (CKYCR) પર અપલોડ કરવામાં નિષ્ફળ રહી હતી.

આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો.

(પુનીત પંચોલી)  
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2024-2025/1762

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?