ભારતીય રિઝર્વ બેંકે ધી કરજણ નાગરીક સહકારી બેંક લિ., કરજણ, જિ.વડોદરા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે ધી કરજણ નાગરીક સહકારી બેંક લિ., કરજણ, જિ.વડોદરા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ
ભારતીય રિઝર્વ બેંકે તારીખ 15 નવેમ્બર, 2023ના આદેશ દ્વારા, ધી કરજણ નાગરીક સહકારી બેંક લિ., કરજણ, જિ.વડોદરા, ગુજરાત (બેંક) પર બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 ની કલમ 56 સાથે પઠિત કલમ 18 અને 26એ ની જોગવાઈઓના ઉલ્લંઘન અને ‘સહકારી બેંકો દ્વારા શાખ માહિતી કંપનીઓની સદસ્યતા’, ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણ મૂકવી’ અને ‘આપના ગ્રાહકને ઓળખો(કેવાયસી) માનદંડ’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹2.10 લાખ (રૂપિયા બે લાખ દસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે પઠિત કલમ 47એ (1) (ગ) અંતર્ગત અને શાખ માહિતી કંપની (વિનિયમન) અધિનિયમ, 2005ની કલમ 25 અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે. માર્ચ 31, 2023ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) કરવામાં આવ્યું હતું. વૈધાનિક જોગવાઈઓના ઉલ્લંઘન / ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોના અનનુપાલન અંગેના પર્યવેક્ષણીય તારણો અને તે સંબંધિત પત્રવ્યવહારના આધારે બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની જોગવાઈઓ અને ભારતીય રિઝર્વ બેંકેના નિર્દેશોના અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, ભારતીય રિઝર્વ બેંકના જાણવામાં આવ્યું કે, અન્ય બાબતોની સાથે, બેંક વિરુદ્ધના નીચેના આરોપો સાબિત થયા છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. બેંક નીચેની બાબતોમાં નિષ્ફળ પૂરવાર થઈ હતી:
આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, આરબીઆઈ દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો. (પુનીત પંચોલી) પ્રેસ જાહેરાત: 2024-2025/1554 |