RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

132524861

ભારતીય રિઝર્વ બેંકે ધી કરજણ નાગરીક સહકારી બેંક લિ., કરજણ, જિ.વડોદરા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંકે તારીખ 15 નવેમ્બર, 2023ના આદેશ દ્વારા, ધી કરજણ નાગરીક સહકારી બેંક લિ., કરજણ, જિ.વડોદરા, ગુજરાત (બેંક) પર બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 ની કલમ 56 સાથે પઠિત કલમ 18 અને 26એ ની જોગવાઈઓના ઉલ્લંઘન અને ‘સહકારી બેંકો દ્વારા શાખ માહિતી કંપનીઓની સદસ્યતા’, ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણ મૂકવી’ અને ‘આપના ગ્રાહકને ઓળખો(કેવાયસી) માનદંડ’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹2.10 લાખ (રૂપિયા બે લાખ દસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે પઠિત કલમ 47એ (1) (ગ) અંતર્ગત અને શાખ માહિતી કંપની (વિનિયમન) અધિનિયમ, 2005ની કલમ 25 અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

માર્ચ 31, 2023ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) કરવામાં આવ્યું હતું. વૈધાનિક જોગવાઈઓના ઉલ્લંઘન / ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોના અનનુપાલન અંગેના પર્યવેક્ષણીય તારણો અને તે સંબંધિત પત્રવ્યવહારના આધારે બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની જોગવાઈઓ અને ભારતીય રિઝર્વ બેંકેના નિર્દેશોના અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, ભારતીય રિઝર્વ બેંકના જાણવામાં આવ્યું કે, અન્ય બાબતોની સાથે, બેંક વિરુદ્ધના નીચેના આરોપો સાબિત થયા છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.

બેંક નીચેની બાબતોમાં નિષ્ફળ પૂરવાર થઈ હતી:

  1. પાત્ર અદાવી રકમોને નિર્ધારિત સમયમાં થાપણદાર કેળવણી અને જાગરૂકતા ભંડોળમાં તબદિલ કરવામાં;
  2. નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન કેટલાક દિવસો માટે ન્યૂનતમ નગદ્ અનામત અનુપાત (minimum Cash Reserve Ratio)જાળવી રાખવામાં;
  3. માર્ચ 31, 2023ના રોજ તેના દેણદારોની શાખ માહિતી ચાર સીઆઈસીમાંથી કોઈપણને રજૂ કરવામાં;
  4. વિવેકપૂર્ણ આંતર-બેંક પ્રતિપક્ષ એક્સપોઝર મર્યાદા નું પાલન કરવામાં;
  5. નિર્ધારિત સમયાંતરે કેટલાક ગ્રાહકોના કેવાયસીનું જોખમ-આધારિત સામયિક અદ્યતનીકરણ કરવામાં.

આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, આરબીઆઈ દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો.

(પુનીત પંચોલી)  
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2024-2025/1554

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?