ભારતીય રિઝર્વ બેંકે ધી ખેડા પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિ., ખેડા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે ધી ખેડા પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિ., ખેડા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ
ભારતીય રિઝર્વ બેંકે તારીખ નવેમ્બર 15, 2024ના આદેશ દ્વારા, ધી ખેડા પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિ., ખેડા, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો દ્વારા અન્ય બેંકોમાં થાપણો મૂકવી’ અને ‘પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્રને ધિરાણો – લક્ષ્યો અને વર્ગીકરણ’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો તેમજ પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્રને કરવાના ધિરાણોમાં કમીના કારણે સૂક્ષ્મ અને લઘુ સાહસો પુનર્ધિરાણ ભંડોળને કરવા પડતા અંશદાન અંગે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા વિશેષ નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹2.10 લાખ (રૂપિયા બે લાખ દસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46(4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ(1)(ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે. માર્ચ 31, 2023ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, નાણાકીય વર્ષ 2022-23 માટેની બેંકની પીએસએલ લક્ષ્યની પ્રાપ્તિમાં કમીના કારણે ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક (SIDBI) દ્વારા સંચાલિત સૂક્ષ્મ અને લઘુ સાહસો પુનર્ધિરાણ ભંડોળમાં ચોક્કસ રકમ જમા કરવા અંગે બેંકને ભારતીય રિઝર્વ બેંક દ્વારા વિશેષ નિર્દેશો થકી નિર્દેશિત કરવામાં આવી હતી. નિર્ધારિત રકમ જમા કરવાની બેંકની નિષ્ફળતાને લીધે ભારતીય રિઝર્વ બેંકે બેંકને તે નિર્ધારિત રકમ જમા કરવા જણાવતો એક સતર્કતા પત્ર જારી કર્યો હતો, પણ બેંક તે રકમ જમા કરવામાં નિષ્ફળ રહી હતી. વૈધાનિક નિરીક્ષણ દરમિયાન ધ્યાનમાં આવેલા ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોના અનનુપાલન / વિશેષ નિર્દેશોના અનનુપાલન અંગેના તારણો અને તે સંબંધિત પત્રવ્યવહારના આધારે બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, ભારતીય રિઝર્વ બેંકેના જાણવામાં આવ્યું કે, અન્ય બાબતોની સાથે, બેંક વિરુદ્ધના નીચેના આરોપો સાબિત થયા છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. i. વિવેકપૂર્ણ આંતર-બેંક પ્રતિપક્ષ એક્સપોઝર મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું; અને ii. નાણાકીય વર્ષ 2022-23 માટે પીએસએલ લક્ષ્યની પ્રાપ્તિમાં બેંકની કમીના કારણે SIDBI દ્વારા સંચાલિત સૂક્ષ્મ અને લઘુ સાહસો પુનર્ધિરાણ ભંડોળમાં, સતર્કતા પત્ર જારી કર્યા બાદ પણ, ચોક્કસ રકમ નિર્ધારિત સમયમાં જમા કરી નહોતી આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો. (પુનીત પંચોલી) પ્રેસ જાહેરાત: 2024-2025/1579 |