RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

132524989

ભારતીય રિઝર્વ બેંકે ધી લુણાવાડા નાગરીક સહકારી બેંક લિ., લુણાવાડા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંકે તારીખ નવેમ્બર 20, 2024ના આદેશ દ્વારા, ધી લુણાવાડા નાગરીક સહકારી બેંક લિ., લુણાવાડા, ગુજરાત (બેંક) પર ‘સહકારી બેંકો દ્વારા શાખ માહિતી કંપનીઓ(સીઆઈસી)ની સદસ્યતા’ અને ‘પરિચાલનનું ક્ષેત્ર, શાખા પ્રાધિકરણ નીતિ, વિસ્તાર કાઉન્ટરો, એટીએમ ખોલવા/ઉન્નયન કરવા અને કાર્યાલયોનું સ્થાનાંતરણ/વિભાજન/બંધ કરવા’ તેમજ ‘આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી)’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹2.10 લાખ (રૂપિયા બે લાખ દસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46(4)(ટ) અને કલમ 56ની સાથે પઠિત કલમ 47એ(1)(ગ) તેમજ શાખ માહિતી કંપની (વિનિયમન) અધિનિયમ, 2005ની કલમ 25 અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

માર્ચ 31, 2023ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) કરવામાં આવ્યું હતું. ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોના અનનુપાલન અંગેના પર્યવેક્ષણીય તારણો અને તે સંબંધિત પત્રવ્યવહારના આધારે બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, ભારતીય રિઝર્વ બેંકેના જાણવામાં આવ્યું કે, અન્ય બાબતોની સાથે, બેંક વિરુદ્ધના નીચેના આરોપો સાબિત થયા છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.

બેંક:

  1. તેના દેણદારોની શાખ માહિતી ત્રણ સીઆઈસીસને રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી;
  2. ભારતીય રિઝર્વ બેંકની પૂર્વ મંજૂરી લીધા વગર ઑન-સાઇટ સ્વયં-સંચાલિત ટેલર મશીન (એટીએમ) ખોલ્યું હતું; અને
  3. નિર્ધારિત સમયે કેવાયસીનું જોખમ આધારિત અદ્યતનીકરણ અને ખાતાઓના જોખમ સંવર્ગીકરણની સમીક્ષા કરવામાં નિષ્ફળ રહી હતી

આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, ભારતીય રિઝર્વ બેંકે દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો.

(પુનીત પંચોલી)     
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2024-2025/1580

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?