RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78502341

ભારતીય રીઝર્વ બેંક (નોટ રીફંડ) નિયમાવલી, 2009 માં સુધારાઓ

આરબીઆઈ/2018-19/46
ડીસીએમ (એનઈ) નંબર 657/08.07.18/2018-19

07 સપ્ટેમ્બર 2018

ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર
મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય કારોબારી અધિકારી
તમામ બેંકો

મહોદયા / પ્રિય મહોદય,

ભારતીય રીઝર્વ બેંક (નોટ રીફંડ) નિયમાવલી, 2009 માં સુધારાઓ

કૃપા કરીને ભારતીય રિઝર્વ બેંક (નોટ રીફંડ) નિયમાવલી, 2009નો સંદર્ભ જુઓ કે જેમાં બેન્કોની તમામ શાખાઓને ફાટેલી / દોષપૂર્ણ નોટોના વિનિમય માટે સત્તા આપવામાં આવેલી છે.

2. ભારતીય રિઝર્વ બેન્કે જાહેર જનતાને બેંક શાખાઓ અને આરબીઆઈના કાર્યાલયોમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ફાટેલી નોટો, જે અગાઉની શ્રેણીઓની સરખામણીમાં કદમાં વધારે નાની છે, તેને બદલવા માટે સક્ષમ બનાવવા ભારતીય રિઝર્વ બેંક (નોટ રીફંડ) નિયમાવલી, 2009 માં સુધારાઓ કરેલા છે. ભારતીય રિઝર્વ બેંક (નોટ રીફંડ) સુધારા નિયમાવલી, 2018 ગેઝેટ ઓફ ઇન્ડિયામાં 06 સપ્ટેમ્બર 2018 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે (જોડાણ). આ નિયમો તાત્કાલિક અસરથી અમલમાં આવેલ છે.

3. અમે વધુમાં જણાવીએ છીએ કે રૂપિયા પચાસ અને તેથી વધુ મૂલ્યવર્ગની નોટોના પૂર્ણ મૂલ્યની ચૂકવણી માટે આવશ્યક નોટના એક સૌથી મોટા અવિભક્ત ટુકડાના લઘુત્તમ એરિયામાં ફેરફાર કરવામાં આવેલો છે જેની વિસ્તૃત માહિતી સુધારાઓમાં છે.

આપનો વિશ્વાસુ,

(માનસ રંજન મોહંતી)
મુખ્ય મહાપ્રબંધક

જોડાણ: ઉપર મુજબ

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?