RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78504275

બેંકિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 - સેક્શન 26 એ
ડિપોઝિટર શિક્ષણ અને જાગૃતિ ફંડ યોજના, 2014 -
ઓપરેશનલ માર્ગદર્શિકા - વ્યાજની ચુકવણી

આરબીઆઇ/2017-2018/191
ડીબીઆર.ડીઇએ ફંડ સેલ.બીસી.નં.110/30.01.002/2017-18

જૂન 07, 2018

મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ / ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ,
તમામ અનુસૂચિત કોમર્શિયલ બેંકો (આરઆરબી સહિત) /
સ્થાનિક વિસ્તારની બેંકો (એલ.એ.બી.)/શહેરી સહકારી બૅન્કો/રાજ્ય સહકારી બૅન્કો/જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો નાની નાણાં બૅંકો/ચુકવણી બેંકો

પ્રિય મહોદય / મહોદયા,

બેંકિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 - સેક્શન 26 એ
ડિપોઝિટર શિક્ષણ અને જાગૃતિ ફંડ યોજના, 2014 -
ઓપરેશનલ માર્ગદર્શિકા - વ્યાજની ચુકવણી

કૃપા કરીને ઉપરોક્ત વિષય પરના 26 જૂન, 2014 ના પરિપત્ર ડીબીઓડી.નં.ડીઇએ. ફંડ સેલ.બીસી.126/30.01.002/2013-14 નો સંદર્ભ લો જેમાં રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરી હતી કે DEA ફંડમાં તબદીલ કરાયેલી, દાવા કર્યા વગરની વ્યાજ ધરાવતી થાપણની રકમ પર થાપણદારો / દાવેદારોને બેન્કો દ્વારા ચૂકવવાપાત્ર વ્યાજ દર બીજી સૂચના ના અપાય ત્યાં સુધી વાર્ષિક 4% સાધારણ વ્યાજ દર રહેશે.

2. હવે વ્યાજના દરની સમીક્ષા કરવામાં આવી છે અને એ નક્કી કરવામાં આવ્યું છે કે જુલાઇ 01, 2018 થી અમલમાં, ફંડમાં તબદીલ કરાયેલી દાવા કર્યા વગરની વ્યાજ ધરાવતી થાપણની રકમ પર થાપણદારો / દાવેદારોને બેન્કો દ્વારા ચૂકવવાપાત્ર વ્યાજ દર બીજી સૂચના ના અપાય ત્યાં સુધી વાર્ષિક 3.5% સાધારણ વ્યાજ રહેશે. 01 જુલાઈ, 2018 ના રોજ અથવા ત્યાર પછી બેંકો દ્વારા મેળવવામાં આવેલા તમામ દાવાઓની પતાવટ, બીજી સૂચના ના અપાય ત્યાં સુધી, આ દર પર રહેશે.

3. જૂન 26, 2014 ના પરિપત્રની અન્ય સમાવિષ્ટ બાબતો યથાવત રહેશે.

આપનો વિશ્વાસુ,

(પ્રકાશ બલીઆરસિંહ)
મુખ્ય મહા પ્રબંધક

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો