<font face="mangal" size="3">2005 પહેલા છપાયેલી બેન્ક નોટો પાછી ખેંચવી - ભારતી - આરબીઆઈ - Reserve Bank of India
2005 પહેલા છપાયેલી બેન્ક નોટો પાછી ખેંચવી - ભારતીય રિઝર્વ બેન્ક સલાહકારી
22 જાન્યુઆરી 2014
2005 પહેલા છપાયેલી બેન્ક નોટો પાછી ખેંચવી - ભારતીય રિઝર્વ બેન્ક સલાહકારી
ભારતીય રિઝર્વ બેન્કે આજે સલાહ આપી છે કે તે 2005 પહેલા છપાયેલી બેન્ક નોટો 31મી માર્ચ 2014 પછી પરિભ્રમણમાંથી સંપૂર્ણપણે પાછી ખેંચી લેશે. 1લી એપ્રિલ 2014થી જનતાએ બેંકોમાં આવી નોટો બદલાવવા માટે જવું પડશે. બીજી સૂચના આપવામાં ના આવે ત્યાં સુધી બેન્કો આવી નોટો બદલવાની સુવિધા આપશે. ભારતીય રિઝર્વ બેન્કે વધુમાં જણાવ્યું કે લોકો આવી નોટો કે જે ચલણમાંથી પાછી ખેંચવાની છે એ સહેલાઇથી પારખી શકશે કારણ કે 2005 પહેલા છપાયેલી નોટોની પાછળની બાજુએ વર્ષ છપાયેલું નથી. (ઉદાહરણ નીચે જોવા વિનંતી.)
ભારતીય રિઝર્વ બેન્કે એ પણ સ્પષ્ટતા કરી છે કે 2005 પહેલા છપાયેલી નોટો કાયદેસર ચલણ તરીકે ચાલુ રહેશે. આનો અર્થ એમ થાય કે બેન્કોએ પોતાના ખાતેદારો તેમજ જે લોકો ખાતેદાર નથી તેવા લોકોને પણ આવી નોટો બદલી આપવાની રહેશે. જોકે, 1લી જુલાઇ 2014 પછી જે લોકો ખાતેદાર નથી તેમણે 10 થી વધારે નંગ રૂ.500 અને રૂ.1000 ની નોટો બદલાવવા માટે પોતાનું ઓળખપત્ર તેમજ રહેઠાણનો પુરાવો જે તે બેંકની શાખામાં આપવાનો રહેશે, જ્યાં તેણી/તે નોટો બદલાવવા માંગતા હોય.
ભારતીય રિઝર્વ બેન્કે જનતાને ભયભીત ન થવાની અપીલ કરી છે. તેઓને આ નોટો પાછી ખેંચવાની પ્રક્રિયામાં સક્રિયતાથી સહકાર આપવા માટે વિનંતી કરવામાં આવે છે.
અજિત પ્રસાદ
સહાયક મહા પ્રબંધક
પ્રેસ રીલીઝ-2013/204/1472