<font face="mangal" size="3">બેન્કોએ 2005 પૂર્વે ની બેંક નોટો ને ડીપોઝીટ માં સĔ - આરબીઆઈ - Reserve Bank of India
બેન્કોએ 2005 પૂર્વે ની બેંક નોટો ને ડીપોઝીટ માં સ્વીકારવી જોઈએ:આરબીઆઈ સ્પષ્ટતા કરે છે
તારીખ: 19 ડીસેમ્બર 2016 બેન્કોએ 2005 પૂર્વે ની બેંક નોટો ને ડીપોઝીટ માં સ્વીકારવી જોઈએ:આરબીઆઈ સ્પષ્ટતા કરે છે ભારતીય રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરેલી છે કે બેન્કોએ રૂ.500 અને રૂ. 1000 ના મૂલ્ય વર્ગ ની 2005 પૂર્વે ની બેંક નોટો ની થાપણો ને સ્વીકારવી જોઈએ પરંતુ તેને પુન: ઇસ્યુ ન કરવી જોઈએ. આ નોટો ફક્ત રિઝર્વ બેંક પર જ બદલી શકાશે. ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા તારીખ 08 નવેમ્બર 2016 ના ગેઝેટ નોટીફીકેશન સંખ્યા 2652 ના અનુસંધાનમાં, ભારતીય રીઝવ બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી વર્તમાન શ્રેણી ની રૂ. 500 અને રૂ. 1000 ના મૂલ્ય વર્ગો ની બેંક નોટો (સ્પેસીફાઈડ બેંક નોટો) તારીખ 09 નવેમ્બર 2016 થી અમલમાં આવે તે રીતે, નોટીફીકેશન માં નિર્દિષ્ટ હદ સુધી, કાયદેસરના ચલણ તરીકે બંધ કરવામાં આવી હતી. તેથી, સ્પેસીફાઈડ બેંક નોટો માં 2005 પૂર્વે ની રૂ. 500 અને રૂ. 1000 ના મૂલ્ય વર્ગો ની બેંક નોટો નો પણ સમાવેશ થાય છે. રિઝર્વ બેન્કે સ્પષ્ટતા જારી કરી કારણકે તેને દેશના વિવિધ ભાગોમાંથી જાહેર જનતા ના સભ્યો માંથી ફરિયાદો/ પૂછપરછ પ્રાપ્ત થઇ રહી હતી કે વાણિજ્ય બેંકો 2005 પૂર્વે ની બેંક નોટો સ્વીકારતી નથી. રિઝર્વ બેન્કે વધુમાં સ્પષ્ટતા કરી કે તેના દ્વારા 30 જૂન 2016 ના રોજ જારી કરવામાં આવેલ સૂચનાઓ અનુસાર જાહેર જનતા ના સભ્યો માટે 2005 પૂર્વે ની બેંક નોટો ના વિનિમય ની સવલત 01 જુલાઈ 2016 અને તે પછી માત્ર રિઝર્વ બેંક ના નીચેના કાર્યાલયો પર જ ઉપલબ્ધ હતી. જો કે આ એમ નથી સૂચવતું કે બેંકો ગ્રાહકો ના ખાતાઓમાં જમા કરવા માટે 2005 પૂર્વે ની બેંક નોટો ને ડીપોઝીટ માટે સ્વીકાર ન કરી શકે. 2005 પૂર્વે ની બેંક નોટો ના વિનિમય ની સવલત ભારતીય રિઝર્વ બેંક ના નીચેના કાર્યાલયો પર ઉપલબ્ધ છે: અમદાવાદ, બેન્ગાલૂરું, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદ્રાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, ન્યુ દિલ્હી, પટના, થીરુવનાન્થપુરમ અને કોચી. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/1565 |