RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78513527

બેન્કિંગ લાયસન્સ કેન્સલ કરવા બાબત –ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ

તારીખ : 23 જાન્યુઆરી, 2018

બેન્કિંગ લાયસન્સ કેન્સલ કરવા બાબત –ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ

ભારતીય રિઝર્વ બેંકે (આર બી આઇ) તારીખ 17 જાન્યુઆરી 2018 ના ઓર્ડર થી ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ નું 22 જાન્યુઆરી 2018 ના રોજ ધંધાની બંધ થતી તારીખ થી અમલ માં આવે તે રીતે બેન્કિંગ ના ધંધા નું લાયસન્સ કેન્સલ કરેલ છે. બેંક ને સમેંટી લેવા અને લીક્વીડેટર ની નિમણુક કરવા નો ઓર્ડર ઇસ્યુ કરવા માટે રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટીવ સોસાયટી, મધ્ય પ્રદેશને ને વિનંતી કરવામાં આવી છે.

રિઝર્વ બેંકે દ્વારા લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યું છે કારણકે :

  1. બેંક પાસે પુરતું મૂડી ભંડોળ નથી અને તેની કમાણી ની કોઈ શક્યતા નથી .જેના કારણે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં ની કલમ 11(1) અને 22(3) ની જોગવાઈઓ નું પાલન થયું નથી

  2. બેંક ની સ્થિતિ તેના હાલના તથા ભવિષ્યના થાપણદારો ની પૂરી રકમ, તેમના દાવા વખતે ચુકવવા સક્ષમ નથી અને આ રીતે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 22(3)(a) ની જોગવાઈઓ નું પાલન થયું નથી

  3. તેનું ઓપરેશન એ રીતે કરવામાં આવતું હતું કે જેથી હાલ ના તથા ભવિષ્યના થાપણદારો ના હિત નું નુકશાન થાય અને બેંક દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 22(3)(b) ની જોગવાઈઓ નું પાલન થયું નથી

  4. બેન્કે તેની મૂડી વધારા માટે કે તેની નાણાકીય પુનઃ રચના માટે કોઈ ઠોસ પગલા ઉઠાવ્યા નથી. તેણે કોઈ નક્કર પગલા લીધા નથી / પુનરુત્થાન યોજના કરી નથી

  5. બેન્કને તેની કાયાપલટ માટે સારો એવો સમય અને તક આપવામાં આવેલ પણ બેંક ની હાલ ની નાણાકીય પરિસ્થિતિ મુજબ તેના રીવાઈવલ ની કોઈ સંભાવના નથી.

  6. જો બેંક ને હજુ બેન્કિંગ નો ધંધો ચલાવવા દેવા માં આવે તો જાહેર જનતા ના હિત ને ખરાબ અસર થાય તેમ છે.

તેના લાયસન્સ રદ થવા ના પરિણામે, ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ.મધ્ય પ્રદેશ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 5(b) માં આપેલ વ્યાખ્યા મુજબ “બેન્કિંગ” નો ધંધો જેમાં થાપણો સ્વીકારવી અને થાપણો ની પુનઃ ચુકવણી નો સમાવેશ થાય છે –તે કરવા માટે તેના ઉપર તાત્કાલિક અસર થી પ્રતિબંધ છે.

લાયસન્સ રદ થવા સાથે અને ફડચામાં લઇ જવાની કાર્યવાહી થતાજ ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ.મધ્ય પ્રદેશ ના થાપણદારો તેમની થાપણ ની રકમ ડીપોઝીટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડીટ ગેરંટી કોર્પોરેશન (DOCGC) એક્ટ, 1961 મુજબ ચુકવવાની કાર્યવાહી શરુ કરવામાં આવશે. .ફડચામાં જતા, દરેક થાપણદારોને ડીપોઝીટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડીટ ગેરંટી કોર્પોરેશન (DOCGC) પાસેથી તેમની/તેણીની થાપણ ના રૂપિયા 100000/- (રૂપિયા એક લાખ માત્ર) સુધી સામાન્ય શરતો અને નિયમો મુજબ મેળવવા હકદાર બનશે.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ જાહેરાત : 2017-2018/2010

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?