<font face="mangal" size="3px">સ્પેસીફાઇડ બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે & - આરબીઆઈ - Reserve Bank of India
સ્પેસીફાઇડ બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- રોકડ ઉપાડ ની મર્યાદા
RBI/2016-17/142 21 નવેમ્બર 2016 ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી પ્રિય મહોદય, સ્પેસીફાઇડ બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- રોકડ ઉપાડ ની મર્યાદા કૃપયા અમારા તારીખ 14 નવેમ્બર 2016 ના પરિપત્ર No. DCM (Plg) No.1274/10.27.00/2016-17 નો સંદર્ભ જુઓ જેના અનુસંધાનમાં ચાલુ ખાતા ધારકો ને (એવા ચાલુ ખાતા કે જે ત્રણ માસ કે તેથી વધુ સમય થી કાર્યરત હોય તેને લાગુ પડશે) પ્રતિ સપ્તાહ રૂ. 50000 સુધી રોકડ માં ઉપાડ કરવાની છૂટ આપવામાં આવી હતી. સમીક્ષા ને અંતે, આ સવલત ઓવરડ્રાફ્ટ અને કેશક્રેડીટ ખાતાઓમાં પણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તદ અનુસાર, ચાલુ/ ઓવરડ્રાફ્ટ/ કેશક્રેડીટ ખાતા ધારકો કે જે છેલ્લા ત્રણ માસ કે વધુ સમય થી કાર્યરત હોય તેઓ હવે પ્રતિ સપ્તાહ રૂ. 50000 સુધી રોકડ માં ઉપાડ કરી શકશે. સાપ્તાહિક ઉપાડ માટે ની આ વધારેલી મર્યાદા વ્યક્તિગત ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ માટે લાગુ પડશે નહીં. 2. આવા ઉપાડ મુખ્યત્વે રૂ. 2000 ના મૂલ્યવર્ગ ની બેંક નોટો માં વિતરિત કરી શકાશે. આપનો વિશ્વાસુ, (સુમન રાય) |