<font face="mangal" size="3">રાઈસ પુલિંગ કૌભાંડ પર સાવધાની સૂચના</font> - આરબીઆઈ - Reserve Bank of India
રાઈસ પુલિંગ કૌભાંડ પર સાવધાની સૂચના
જુલાઈ 31, 2018 રાઈસ પુલિંગ કૌભાંડ પર સાવધાની સૂચના ભારતીય રિઝર્વ બેંકના ધ્યાન પર લાવવામાં આવેલ છે કે કેટલીક દગાખોર વ્યક્તિઓ તાંબુ/ઇરિડિયમમાંથી બનેલ “રાઇસ પુલર” નામના એક સાધનનું હાટિયાણું એવા દાવા સાથે કરી રહેલ છે કે તેનામાં ચોખાના દાણાને આકર્ષવાનો જાદુઈ ગુણ છે. આ કાર્યની સાથે જોડાયેલી વ્યક્તિઓ ભારતીય રિઝર્વ બેંક/ભારત સરકાર દ્વારા જારી સરકારી જામીનગીરીઓના લિલામને સંબંધિત પરિપત્રો / અધિસૂચનાઓને આવી પ્રવૃત્તિઓ માટે નાણાં પૂરા પાડવાનાં પુરાવાના રૂપમાં આ સાધનના વિક્રેતાઓ વતી ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંક, આ સાથે, આમ જનતાને સાવધાન કરે છે કે આ રીતના દાવાઓનો શિકાર ન બનવું અને તેઓએ તપાસ સત્તાતંત્રને આવી ઘટનાઓની જાણ કરવી જોઈએ. એમ દોહરાવવામાં આવે છે કે આવી દગાબાજ વ્યક્તિઓનો સાથ આપવાથી પ્રત્યક્ષ નાણાંકીય નુકસાન થઈ શકે છે અને જનતાએ પોતાના હિતમાં આવા પ્રસ્તાવોનો કોઈ પણ પ્રત્યુત્તર આપવાથી દૂર રહેવું જોઈએ. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/270 |