<font face="mangal" size="3">ATM – જૂની ઉચ્ચ મૂલ્યવર્ગની નોટોનું વિતરણ ન કરવુ - આરબીઆઈ - Reserve Bank of India
ATM – જૂની ઉચ્ચ મૂલ્યવર્ગની નોટોનું વિતરણ ન કરવું – વ્યવહારો બંધ રાખવા
RBI/2016–17/111 તારીખ: 8 નવેમ્બર 2016 ચેરમેન / મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારીઓ પ્રિય મહોદય / મહોદયા, ATM – જૂની ઉચ્ચ મૂલ્યવર્ગની નોટોનું વિતરણ ન કરવું – વ્યવહારો બંધ રાખવા ભારત સરકારે તાત્કાલિક અસરથી (8 નવેમ્બર 2016 ના મધ્યરાત્રીથી) રૂપિયા 500 અને રૂપિયા 1000 ના મૂલ્યવર્ગોની વર્તમાન તથા કોઇપણ જૂની શ્રેણીઓની બેન્કનોટોના કાયદેસરના ચલણ તરીકેના લક્ષણને પાછું ખેંચેલું છે. તેથી, બેંકો દ્વારા તેમના ATMs મારફતે થતા આ જૂની ઉચ્ચ મૂલ્યવર્ગની બેન્કનોટોના વિતરણ ને 8 નવેમ્બર 2016 ની મધ્યરાત્રીથી અટકાવવું પડશે. 2. આ માટે બેન્કોને તૈયારી કરવા માટે સવલત પૂરી પાડવા, બધીજ જાહેરક્ષેત્ર / ખાનગીક્ષેત્ર ની બેંકો / વિદેશી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, શહેરી સહકારી બેંકો અને સ્ટેટ કો – ઓપરેટીવ બેંકો ને 09 નવેમ્બર 2016 ના રોજ જાહેરજનતાના વ્યવહારો માટે બંધ રાખવાનું જણાવવામાં આવેલું છે. 3. ઉપરોક્ત હેતુથી, એવું નક્કી કરવામાં આવેલું છે કે બધાજ ATMs 08 નવેમ્બર 2016 ની મધ્યરાત્રીથી વ્યવહારો માટે બંધ રહેશે કે જેથી તેઓ (ATMs) જૂની પરત ખેંચેલ ઉચ્ચ મૂલ્યવર્ગની બેન્કનોટો નું વિતરણ ન કરે, ATMs, તેમની માત્ર રૂપિયા 50 અને રૂપિયા 100 ના મૂલ્યવર્ગોની બેન્કનોટો ને વિતરણ કરવા માટે પુન:ગોઠવણી (recalibration) થતા, 11 નવેમ્બર 2016 થી કાર્ય કરવાનું શરૂ કરી શકે. 4. બેંકો અને ATM સ્વીચો ઓન – અસ અને ઓફ – અસ બંને વ્યવહારો માટે આવશ્યક પગલાં લે. 5. વધુમાં, ગ્રાહક ની સવલત ને સુનિશ્ચિત કરવા માટે, બેન્કોને તેમના ગ્રાહકોને 30 ડીસેમ્બર 2016 સુધી તેમના ATMs પર બધાજ રોકડ ઉપાડના વ્યવહારો “free of cost” વિના મૂલ્યે પૂરા પાડવાનું પણ જણાવાયું છે. એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે બેંકો તેમના બધાજ ગ્રાહકો માટે રૂપિયા 2000 ની કાર્ડદીઠ પ્રત્યેક દિવસ ની ઉપાડ મર્યાદા 18 નવેમ્બર 2016 સુધી નક્કી કરે. 6. આ નિર્દેશ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એક્ટ 2007 (Act 51 of 2007) ની કલમ 18, કલમ 10 (2) સાથે વંચાણમાં લેતાં, હેઠળ બહાર પાડવામાં આવેલો છે. આપની વિશ્વાસુ, (નંદા એસ. દવે) |