RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78499981

ATM – જૂની ઉચ્ચ મૂલ્યવર્ગની નોટોનું વિતરણ ન કરવું – વ્યવહારો બંધ રાખવા

RBI/2016–17/111
DPSS.CO.PD.No./02.10.002/2016–2017

તારીખ: 8 નવેમ્બર 2016

ચેરમેન / મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારીઓ
સર્વે શીડ્યુલ્ડ વાણિજ્ય બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો સહિત / શહેરી સહકારી બેંકો / રાજ્ય સહકારી બેંકો /જિલ્લા
મધ્યસ્થ સહકારી બેંકો / અધિકૃત ATM નેટવર્ક ઓપરેટર્સ / કાર્ડ પેમેન્ટ નેટવર્ક ઓપરેટર્સ / વ્હાઈટ લેબલ ATM
ઓપરેટર્સ

પ્રિય મહોદય / મહોદયા,

ATM – જૂની ઉચ્ચ મૂલ્યવર્ગની નોટોનું વિતરણ ન કરવું – વ્યવહારો બંધ રાખવા

ભારત સરકારે તાત્કાલિક અસરથી (8 નવેમ્બર 2016 ના મધ્યરાત્રીથી) રૂપિયા 500 અને રૂપિયા 1000 ના મૂલ્યવર્ગોની વર્તમાન તથા કોઇપણ જૂની શ્રેણીઓની બેન્કનોટોના કાયદેસરના ચલણ તરીકેના લક્ષણને પાછું ખેંચેલું છે. તેથી, બેંકો દ્વારા તેમના ATMs મારફતે થતા આ જૂની ઉચ્ચ મૂલ્યવર્ગની બેન્કનોટોના વિતરણ ને 8 નવેમ્બર 2016 ની મધ્યરાત્રીથી અટકાવવું પડશે.

2. આ માટે બેન્કોને તૈયારી કરવા માટે સવલત પૂરી પાડવા, બધીજ જાહેરક્ષેત્ર / ખાનગીક્ષેત્ર ની બેંકો / વિદેશી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, શહેરી સહકારી બેંકો અને સ્ટેટ કો – ઓપરેટીવ બેંકો ને 09 નવેમ્બર 2016 ના રોજ જાહેરજનતાના વ્યવહારો માટે બંધ રાખવાનું જણાવવામાં આવેલું છે.

3. ઉપરોક્ત હેતુથી, એવું નક્કી કરવામાં આવેલું છે કે બધાજ ATMs 08 નવેમ્બર 2016 ની મધ્યરાત્રીથી વ્યવહારો માટે બંધ રહેશે કે જેથી તેઓ (ATMs) જૂની પરત ખેંચેલ ઉચ્ચ મૂલ્યવર્ગની બેન્કનોટો નું વિતરણ ન કરે, ATMs, તેમની માત્ર રૂપિયા 50 અને રૂપિયા 100 ના મૂલ્યવર્ગોની બેન્કનોટો ને વિતરણ કરવા માટે પુન:ગોઠવણી (recalibration) થતા, 11 નવેમ્બર 2016 થી કાર્ય કરવાનું શરૂ કરી શકે.

4. બેંકો અને ATM સ્વીચો ઓન – અસ અને ઓફ – અસ બંને વ્યવહારો માટે આવશ્યક પગલાં લે.

5. વધુમાં, ગ્રાહક ની સવલત ને સુનિશ્ચિત કરવા માટે, બેન્કોને તેમના ગ્રાહકોને 30 ડીસેમ્બર 2016 સુધી તેમના ATMs પર બધાજ રોકડ ઉપાડના વ્યવહારો “free of cost” વિના મૂલ્યે પૂરા પાડવાનું પણ જણાવાયું છે. એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે બેંકો તેમના બધાજ ગ્રાહકો માટે રૂપિયા 2000 ની કાર્ડદીઠ પ્રત્યેક દિવસ ની ઉપાડ મર્યાદા 18 નવેમ્બર 2016 સુધી નક્કી કરે.

6. આ નિર્દેશ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એક્ટ 2007 (Act 51 of 2007) ની કલમ 18, કલમ 10 (2) સાથે વંચાણમાં લેતાં, હેઠળ બહાર પાડવામાં આવેલો છે.

આપની વિશ્વાસુ,

(નંદા એસ. દવે)
મુખ્ય મહાપ્રબંધક

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?