RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78495663

બેંકો માં સ્પેસીફાઇડ બેંક નોટો (એસબીએન) ના વિનિમય ની યોજના 30 ડીસેમ્બર 2016 થી બંધ – એકાઉન્ટીન્ગ

RBI/2016-17/201
DCM (Plg) No.2103/10.27.00/2016-17

30 ડીસેમ્બર 2016

ચેરમેન / મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી
જાહેર ક્ષેત્ર ની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/ પ્રાદેશિક ગ્રામીણ બેંકો / શહેરી સહકારી બેંકો /
રાજ્ય સહકારી બેંકો / જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો

પ્રિય મહોદય,

બેંકો માં સ્પેસીફાઇડ બેંક નોટો (એસબીએન) ના વિનિમય ની યોજના 30 ડીસેમ્બર 2016 થી બંધ – એકાઉન્ટીન્ગ

કૃપયા ”વર્તમાન રૂપિયા 500 અને રૂપિયા 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવા” પરના અમારા તારીખ 08 નવેમ્બર 2016 ના પરિપત્ર સંખ્યા DCM (Plg) No.1226/10.27.00/2016-17 ના ફકરા 3 (c) નો સંદર્ભ જુઓ.

2. એસબીએન ના વિનિમય ની સવલત 30 ડીસેમ્બર 2016 ના કામકાજ ના અંતથી બંધ થવાની સાથે, તમામ બેકો એ એકઠી થયેલ એસબીએન ની માહિતી 30 ડીસેમ્બર 2016 ના દિવસે જ ઈ-મેલ પર મોકલવી. તે મુજબ, બેંકો એ આ માહિતી તેમની તમામ શાખાઓમાંથી પ્રાપ્ત કરવાની વ્યવસ્થા કરવી જોઈએ.

3. તમામ બેંક શાખાઓ (ડીસીસીબી સિવાયની), કે જેમણે 30 ડીસેમ્બર 2016 ના કામકાજ ના અંતે એસબીએન એકઠી કરેલી હોય તેઓએ રિઝર્વ બેંક ની કોઇપણ ઇસ્યુ ઓફિસે અથવા કરન્સી ચેસ્ટ માં 31 ડીસેમ્બર 2016 ના દિવસે જ તેને જમા કરાવવાની રહેશે.

4. 31 ડીસેમ્બર 2016 ના કામકાજ ના અંત થી એસબીએન બેન્કો ની રોકડ સિલક (કેશ બેલેન્સ) નો ભાગ ગણાશે નહી.

5. જો કે, ડીસીસીબી આગળ ની સુચના મળે ત્યાં સુધી 10 અને 14 નવેમ્બર વચ્ચે પ્રાપ્ત થયેલ એસબીએન રાખી શકશે. (કૃપયા આ અંગે અમારા તારીખ 17 નવેમ્બર 2016 ના પરિપત્ર DCM (Plg) No. 1294/ 10.27.00/ 2016-17 નો સંદર્ભ જુઓ)

6. કરન્સી ચેસ્ટ ધરાવતી બેંકો લીન્કડ શાખાઓ/ બેંકો ની અન્ય શાખાઓ/ પોસ્ટ ઓફિસો દ્વારા પ્રાપ્ત એસબીએન ની ડીપોઝીટ ને સરળ બનાવવા માટે આવશ્યક વ્યવસ્થાઓ કરે. ICCOMS માં વ્યવહારો ના રીપોર્ટીંગ ને રાત્રી ના 9:00 બાદ તમામ ડીપોઝીટો પ્રાપ્ત થાય અને તેનું એકાઉન્ટીન્ગ થાય ત્યાં સુધી સક્ષમ બનાવશે.

7. એસબીએન ના સંગ્રહ ની સવલત માટે, કરન્સી ચેસ્ટ ધરાવતી બેંકો તેમની વર્તમાન કરન્સી ચેસ્ટ માં વધારા ની જગ્યા નો અથવા તેજ કેન્દ્ર પર ના વધારા ના સંગ્રહ સ્થાન નો ઉપયોગ કરી શકાશે એ શરતે કે તે કરન્સી ચેસ્ટ જેટલી જ સુરક્ષીત અને સલામત હોય. કૃપયા આ અંગે અમારા તારીખ 17 નવેમ્બર 2016 ના પરિપત્ર DCM (Plg) No. 1294/ 10.27.00/ 2016-17 નો સંદર્ભ જુઓ.

8. કૃપયા પ્રાપ્તિ સુચના મોકલો.

આપનો વિશ્વાસુ,

(પી. વિજય કુમાર)
મુખ્ય મહાપ્રબંધક

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?