RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78483093

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશો – ગોમતી નગરીયા સહકારી બેંક લી.,જૌનપુર (ઉત્તર પ્રદેશ)

તારીખ : જુલાઈ 11, 2017

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશો – ગોમતી નગરીયા
સહકારી બેંક લી.,જૌનપુર (ઉત્તર પ્રદેશ)

ભારતીય રિઝર્વ બેંકને જાહેર જનતા ના હિત માં સંતોષ કારક લાગ્યું છે કે ગોમતી નગરીયા સહકારી બેંક લી.,જૌનપુર (ઉત્તર પ્રદેશ) ને કેટલાક નિર્દેશો આપવા જરૂરી છે. તદ અનુસાર, ભારતીય રિઝર્વ બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે મુજબ) ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત ગોમતી નગરીયા સહકારી બેંક લી.,જૌનપુર (ઉત્તર પ્રદેશ) ને નિર્દેશ કરવામાં આવે છે કે 10 જુલાઈ 2017 ના રોજ ધંધા ની બંધ થતી તારીખ થી તે ભારતીય રિઝર્વ બેંક ની અગાઉ થી લેખિત પરવાનગી મેળવ્યા વગર કોઈ લોન કે એડવાન્સ આપી કે રીન્યુ કરી શકશે નહિ, કોઈ રોકાણ કરી શકશે નહિ, નવી ડીપોઝીટ અને નાણા ઉધાર લેવા જેવી કોઈ જવાબદારી ઉભી કરી શકશે નહિ, તેની જવાબદારી કે ઓબ્લીગેશન ડીસ્ચાર્જ કરવા પેમેન્ટ કરી શકશે નહિ કે કોઈ કોમ્પ્રોમાઈઝ કે એમાલ્ગમેશન અને મિલકતો કે પ્રોપર્ટી નું વેચાણ, ટ્રાન્સફર કે અન્ય રીતે નિકાલ કરી શકશે નહિ.અલબત્ત, નીચેની મર્યાદા માં અને નીચેની રીતે તે:

  1. દરેક બચત ખાતા, ચાલુ ખાતા યા કોઇપણ નામે ઓળખાતા અન્ય ડીપોઝીટ ખાતા ની કુલ સિલક માંથી, થાપણદાર ને વધુમાં વધુ રુપીરા ૧૦૦૦ (અંકે રૂપિયા એક હજાર) સુધી નો ઉપાડ કરવા દેવામાં આવશે. જો થાપણદાર ની બેંક પ્રત્યે લોન ખાતે કે જામીન તરીકે જવાબદારી હશે તો આ રકમ પહેલા જે તે લોન કે જવાબદારી ખાતે એડજસ્ટ કરવામાં આવશે.

  2. હાલ ની પાકતી ટર્મ ડીપોઝીટ તે જ નામ અને તે જ કેપેસીટી માં રીન્યુ કરી શકાશે

  3. એવા ખર્ચ કે જે ઉપર ના નિર્દેશ માં મંજુર કર્યા હોય.

  4. સરકાર માં / SLR માન્ય સીક્યુરીટી માં રોકાણ કરી શકશે

ભારતીય રિઝર્વ બેંક ની ચોક્કસ લેખિત પરવાનગી લીધા વગર તે ઓચિંતી અન્ય જવાબદારી ઉભી નહિ કરી શકે

જાહેર જનતા ના રસ ધરાવતા સભ્યો ના અવલોકન માટે આ નિર્દેશો ની નકલ બેંક ની જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવેલ છે. રિઝર્વ બેંક સંજોગો ને અધીન આ નિર્દેશો માં સુધારા કરી શકે છે. આરબીઆઇ દ્વારા ઇસ્યુ કરેલા નિર્દેશો નો મતલબ એ નથી કે આરબીઆઇએ, આ બેંક નું બેન્કિંગ લાયસન્સ રદ કર્યું છે. આ બેંક પ્રતિબંધ સાથે બેન્કિંગ નો ધંધો ચાલુ રાખી શકશે.

આ નિર્દેશો 10 જુલાઈ 2017 ના રોજ ધંધા ની બંધ થતી તારીખ થી 6 મહિના માટે અમલ માં રહેશે જે વખતો વખત કરાતી સમીક્ષા ને અધીન રહેશે .

શૈલજા સિંઘ
સહાયક મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત : 2017-2018/101

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?