<font face="mangal" size="3">બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લ - આરબીઆઈ - Reserve Bank of India
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – સન્મિત્ર સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર
૧૩ સપ્ટેમ્બર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – તારીખ ૧૪ જુન ૨૦૧૬નાં નિર્દેશ અનુસાર સન્મિત્ર સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્રને ૬ મહિનાના સમય માટે તા.૧૪ જુન ૨૦૧૬ના રોજ કારોબારની સમાપ્તિથી અમલમાં, નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશોની માન્યતા તા.૭ ડીસેમ્બર ૨૦૧૬ અને તા.૮ જુન ૨૦૧૭ના આદેશ અનુસાર અનુક્રમે ૬ મહીના અને ૩ મહિના માટે લંબાવવામાં આવેલ હતી. આથી સામાન્ય જનતા ની જાણકારી માટે જણાવવામાં આવે છે કે અમારા સમીક્ષાને આધીન, ૮ સપ્ટેમ્બર ૨૦૧૭ નાં આદેશાનુસાર તારીખ ૭ ડીસેમ્બર ૨૦૧૬ તથા તા. ૮ જુન ૨૦૧૭ સાથે વંચાણે લઈને તા. ૧૪ જુન ૨૦૧૬ નાં આદેશાનુસાર બેન્કની કામગીરીની સમય મર્યાદાને ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૭ થી ૧૪ માર્ચ ૨૦૧૮ સુધી અર્થાત બીજા છ મહિના, સુધી લાગુ રહેશે. સંદર્ભના નિર્દેશોનાં અન્ય નિયમો અને શરતો યથાવત રહેશે. ઉપરોક્ત સમય મર્યાદામાં વધારો સૂચિત કરતી તા.૮ સપ્ટેમ્બર ૨૦૧૭ના નિર્દેશની એક નકલ જાહેર જનતાના અવલોકન માટે બેંકના પરિસરમાં દર્શાવવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા લાદવામાં આવેલ ઉપરોક્ત સુધારાનું આપમેળે એવું અર્થઘટન ન થવું જોઈએ કે બેન્કની નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારણાથી ભારતીય રિઝર્વ બેન્ક સંતુષ્ટ છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/722 |