<font face="mangal" size="3px">બેંકિંગ વિનિયમન અધિનિયમન, 1949 (સહકારી મંડળીઓને  - આરબીઆઈ - Reserve Bank of India
બેંકિંગ વિનિયમન અધિનિયમન, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 35 ક ના અંતર્ગત નિર્દેશ – શતાબ્દિ મહિલા સહકારી બેંક લિ., થાણા, જિલ્લો-થાણા, મહારાષ્ટ્ર
ઓગષ્ટ 13, 2015 બેંકિંગ વિનિયમન અધિનિયમન, 1949 (સહકારી મંડળીઓને શતાબ્દિ મહિલા સહકારી બેંક લિ., થાણા, જિલ્લો – થાણા, ને તારીખ 14 ઓગષ્ટ, 2014 ના નિર્દેશ સં. UBD.CO.BSD-I/D-5/12.22.504/2014-15 ના માધ્યમ થકી 20 ઓગષ્ટ, 2014 ના રોજ કારોબાર સમાપ્તિ થી છ માસની અવધિ માટે નિર્દેશાધીન રાખવામાં આવી હતી. તા. 4 ફેબ્રુઆરી, 2015 ના નિર્દેશ સં. DCBR.CO.BSD-I/D-31/12.22.504/2014-15 ના માધ્યમ થકી ઉપરોક્ત નિર્દેશના અમલીકરણને તા. 19 ફેબ્રુઆરી, 2015 ના રોજ કારોબાર સમાપ્તિથી વધુ છ મહિનાની અવધિ માટે લંબાવવામાં આવેલ હતો. જાહેર જનતાની જાણકારી માટે એમ અધિસૂચિત કરવામાં આવે છે કે તા. 21 જુલાઈ, 2015 ના અમારા સંશોધિત નિર્દેશ સં. DCBR.CO.AID.No./D-04/12.22.504/2015-16 દ્વારા, તા. 14 ઓગષ્ટ, 2014 ના નિર્દેશની સાથે તા. 04 ફેબ્રુઆરી, 2015 ના નિર્દેશને વાંચતા, તેઓના અમલીકરણને તા. 18 ઓગષ્ટ, 2015ના રોજના કારોબાર સમાપ્તિથી તા. 17 નવેમ્બર, 2015 સુધી, વધુ ત્રણ મહિનાની અવધિ માટે લંબાવવામાં આવે છે, જે સમીક્ષાધીન રહેશે. નિર્દેશના અન્ય નિયમો અને શરતો કોઈ ફેરફાર નથી. ઉપરની અધિસૂચના દર્શાવતા તા. 21 જુલાઈ, 2015 ના નિર્દેશની એક નકલ બેંકના પરિસરમાં જાહેર જનતાની જાણકારી માટે મૂકવામાં આવેલી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલ ઉપરોક્ત સંશોધનનું એવું અર્થઘટન કરવામાં ન આવે કે ભારતીય રિઝર્વ બેંક શતાબ્દિ મહિલા સહકારી બેંક લિ. ની નાણાકીય સ્થિતિમાંના મૌલિક સુધારાથી સંતુષ્ટ છે. અનિરુધા ડી. જાદવ પ્રેસ પ્રકાશન : 2015-2016/394 |