<font face="mangal" size="3">બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS)-ની કલમ 35 A અંતર્ગત ધ đ - આરબીઆઈ - Reserve Bank of India
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS)-ની કલમ 35 A અંતર્ગત ધ ભિલવારા મહિલા અર્બન કો ઓપરાટિવ બેન્ક લિમિટેડ., ભિલવારા (રાજસ્થાન) ને નિર્દેશો
માર્ચ 10, 2017 બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS)-ની કલમ 35 A અંતર્ગત આથી જાહેર જનતા ને જણાવવામાં આવે છે કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (AACS) ની કલમ 35 A ની પેટા કલમ (1) ને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચતાં મળેલ સત્તા હેઠળ ભારતીય રિઝર્વ બેન્કે ધ ભિલવારા મહિલા અર્બન કો ઓપરાટિવ બેન્ક લિમિટેડ., ભિલવારા, ને નિર્દેશો જારી કર્યા છે જેમાં માર્ચ 09, 2017 ના કામકાજ ના સમય ના અંત થી ઉપરોક્ત બેન્ક આરબીઆઇ ની લેખિત મંજૂરી સિવાય, કોઈપણ લોન માંજૂર કે તેનું નવીનીકરણ, ધિરાણ, કોઈપણ રોકાણ, કોઈપણ જવાબદારી ઊભી કરવી, જેમાં ભંડોળ ઉધાર લેવું અને નવી ડિપોઝિટ સ્વીકારવાનો સમાવેશ થાય છે, પોતાની જવાબદારી કે ફરજ ના ભાગરૂપે કે અન્ય રીતે ચુકવણી કે ચુકવણી કરવા સંમત થવું, કોઇ સમાધાન કે કરાર કરીને પોતાની મિલક્તો કે અસ્કયામતો નું વેચાણ, ટ્રાન્સફર કે અથવા અન્યથા, આર.બી.આઈ ના તારીખ માર્ચ 07, 2017 ના નિર્દેશ મો જણાવ્યા સિવાય નું, કે જેની નકલ રસધરાવતા જનતા ના સભ્યો ના અવલોકન માટે બેન્કના મકાન માં પ્રદર્શિત કરેલ છે, કરવું નહીં. ખાસ કરી ને, અર.બી.આઈ ના ઉપરોક્ત્ત નિર્દેશ માં જણાવ્યા પ્રમાણે ની શરતો ને આધીન દરેક બચત અથવા ચાલુ ખાતા અથવા અન્ય કોઈ ડિપોઝિટ ખાતા માં કુલ જમા રકમ માંથી ₹ 1,000/- (રૂપિયા એક હજાર પૂરા) સુધી નો ઉપાડ કરવા ની મંજૂરી છે. જારી કરાયેલ ઉપરના નિર્દેશોનું અર્થઘટન રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ લાયસન્સ રદ કરવા તરીકે ન કરવું જોઈએ. બેંક તેની નાણાંકીય સ્થિતિમાં સુધારો થાય ત્યાં સુધી નિયંત્રણો સાથે બેંકિંગ કારોબાર (Business) ચાલુ રાખશે. સંજોગોના આધારે રિઝર્વ બેંક આ નિર્દેશોમાં સુધારાઓ અંગે વિચારી શકે છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/2427 |