RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78494958

બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક અંતર્ગત નિર્દેશ – ધી સિટી કૉ-ઓપરેટિવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર – ઉપાડ મર્યાદામાં છૂટ

ડિસેમ્બર 27, 2018

બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની
કલમ 35ક અંતર્ગત નિર્દેશ – ધી સિટી કૉ-ઓપરેટિવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર –
ઉપાડ મર્યાદામાં છૂટ

ધી સિટી કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્રને તારીખ એપ્રિલ 17, 2018 ના નિર્દેશ થકી તારીખ એપ્રિલ 17, 2018 ના રોજ કારોબાર સમાપ્તિથી નિર્દેશ હેઠળ રાખવામાં આવેલ હતી. નિર્દેશોની વૈધતાને સમય સમય પર અનુગામી નિર્દેશ થકી લંબાવવામાં આવી હતી, જેમાં છેલ્લા તારીખ ઓક્ટોબર 15, 2018 ના નિર્દેશ થકી નિર્દેશને, સમીક્ષાધીન રાખીને, તારીખ એપ્રિલ 17, 2019 સુધી લંબાવવામાં આવેલ હતા. પ્રવર્તમાન નિર્દેશ અનુસાર, અન્ય નિયમો સહિત, પ્રત્યેક બચત બેંક અથવા ચાલૂ ખાતા અથવા કોઈ પણ અન્ય જમા ખાતુ, ચાહે કોઈ પણ નામથી તેને ઓળખવામાં આવે, આમ બધા ખાતામાં થઈને કુલ જમા રકમમાંથી 1,000/- (રૂપિયા એક હજાર ફક્ત) સુધી ઉપાડવાની થાપણદારને અનુમતિ આપવામાં આવેલ હતી.

આથી જાહેર જનતાની માહીતિ અર્થે અધિસૂચિત કરવામાં આવે છે કે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક ની પેટા-કલમ (1) અને (2) ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 56 ને વાંચતા, તે કલમોના હેઠળ ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં એમ નિર્દેશ કરે છે કે – ધી સિટી કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, મુંબઈને જારી કરવામાં આવેલ તારીખ એપ્રિલ 17, 2018 ના નિર્દેશનો પેરા 1 (i) જે તારીખ ઓક્ટોબર 15, 2018 ના નિર્દેશથી સુધારવામાં આવેલ હતો, તેમાં નીચે મુજબ આંશિક સુધારો કરવામાં આવે:

“થાપણદારને દરેક બચત બેંક ખાતા અથવા ચાલૂ ખાતા અથવા નિયતકાલીન થાપણ ખાતા અથવા અન્ય કોઈ ખાતા (જેને કોઈપણ નામથી ઓળખવામાં આવતા હોય)માં રહેલી કુલ જમા રકમમાંથી 5,000/- (રૂપિયા પાંચ હજાર ફક્ત) સુધી ઉપાડ કરવાની અનુમતિ આપી શકાસે, એ શરતે કે જ્યારે આવા થાપણદારની બેંક પ્રત્યે કોઈ જવાબદારી કોઈપણ રીતે હોય એટલે કે ઉધારકર્તા રૂપે કે જામીનદાર રૂપે જેમાં બેન્ક થાપણો સામે લીધેલી લૉનનો સમાવેશ થઈ જાય છે, ત્યારે આ રકમને પહેલા જે તે ઉધાર ખાતા/ખાતાઓ સાથે સમાયોજિત કરવામાં આવશે.”

એપ્રિલ 17, 2018 ના નિર્દેશના અન્ય નિયમો અને શરતો યથાવત્ છે.

ઉપરોક્ત સુધારાને સૂચિત કરતા તારીખ ડિસેમ્બર 12, 2018ના નિર્દેશની એક પ્રતિ બેંક પરિસરમાં જનતાની સૂચના માટે લગાવવામાં આવી છે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉપરોક્ત સુધારો કરવાનું એમ અર્થઘટન કરવામાં ન આવે કે ભારતીય રિઝર્વ બેંક, બેંકની નાણાકીય સ્થિતિમાં થયેલ મૌલિક સુધારાથી સંતુષ્ટ છે.

અજીત પ્રસાદ
સહાયક પરામર્શદાતા

પ્રેસ પ્રકાશન: 2018-2019/1472

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?