<font face="mangal" size="3">બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35A અંત - આરબીઆઈ - Reserve Bank of India
બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35A અંતર્ગત ડાયરેકશન્સ---ધી મરાઠા સહકારી બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
તારીખ: 30 ઓગસ્ટ 2018 બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35A અંતર્ગત ડાયરેકશન્સ---ધી મરાઠા સહકારી બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી મરાઠા સહકારી બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્રને 31 ઓગસ્ટ 2016ના ડાયરેકટીવ અન્વયે 31 ઓગસ્ટ 2016ના રોજ કારોબારના અંતથી ડાયરેક્શન્સ (નિર્દેશો) હેઠળ મૂકવામાં આવી હતી. ત્યાર પછીના ડાયરેકટીવ અન્વયે, ઉપરોક્ત ડાયરેક્શન્સની વૈદ્યતા સમય સમય પર લંબાવવામાં આવેલી હતી. છેલ્લે તારીખ 26 ફેબ્રુઆરી 2018ના ડાયરેકટીવ દ્વારા, ઉક્ત ડાયરેકશન્સ, સમીક્ષાને આધીન, 31 ઓગસ્ટ 2018 સુધી વૈદ્ય હતા. જાહેર જનતાની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંક, બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 56 સાથે વંચાણમાં લેતાં, 35A ની પેટા કલમ (1) અંતર્ગત મળેલ સત્તાનો ઉપયોગ કરીને નિર્દેશ આપે છે કે ઉપરોક્ત બેન્કને જારી કરેલ 31 ઓગસ્ટ 2016 નો ડાયરેકટીવ, વખતો વખત કરવામાં આવેલ સુધારા અનુસાર, અને જેની વૈદ્યતા છેલ્લે 31 ઓગસ્ટ 2018 સુધી લંબાવેલી હતી તે, 24 ઓગસ્ટ 2018 ના ડાયરેકટીવ અનુસાર, ઉક્ત બેન્કને 01 સપ્ટેમ્બર 2018 થી 30 નવેમ્બર 2018 સુધી વધુ ત્રણ માસના સમય ગાળા માટે લાગુ પડવાનું ચાલુ રહેશે. ઉપરોક્ત મુદત વધારાને સૂચિત કરતી 24 ઓગસ્ટ 2018 ના ડાયરેકટીવની એક નકલ જાહેરજનતાના સભ્યોના અવલોકન માટે બેંકના મકાનમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ભારતીય રીઝર્વ બેંક દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત મુદત વધારા અને/અથવા સુધારાનું અર્થઘટન એ સૂચવતું નથી કે ભારતીય રિઝર્વ બેંક બેન્કની નાણાકીય સ્થિતમાં વાસ્તવિક સુધારાથી સંતુષ્ટ છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/502 |