<font face="mangal" size="3">બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આ - આરબીઆઈ - Reserve Bank of India
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી મરાઠા સહકારી બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
તારીખ : માર્ચ 28, 2019 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી મરાઠા સહકારી બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી મરાઠા સહકારી બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 31 ઓગસ્ટ, 2016 ના નિર્દેશ મુજબ 31 ઓગસ્ટ, 2016 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ. છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 27 નવેમ્બર, 2018 ના નિર્દેશ થી આ નિર્દેશ ની મુદત તારીખ 31 માર્ચ, 2019 સુધી વધારવામાં આવેલી. જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેંક નિર્દેશ કરે છે કે ઉપરોક્ત બેન્કને આપેલા 31 ઓગસ્ટ, 2016 ના નિર્દેશ તથા વખતો વખત સુધારેલા નિર્દેશો ની માન્યતા છેલ્લે તારીખ 31 માર્ચ, 2019 સુધી વધારવામાં આવેલી તે સમીક્ષા કર્યા બાદ તારીખ 25 માર્ચ, 2019 ના નિર્દેશ થી બેન્કને 01, એપ્રિલ 2019 થી 30 સપ્ટેમ્બર 2019 સુધી વધુ છ મહિના માટે લાગુ પડશે જાહેર જનતા ના અવલોકન માટે તારીખ 25 માર્ચ, 2019 નો ઉપર મુજબ મુદત વધારો સૂચિત કરતાં નિર્દેશ ને બેંક ની જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવેલ છે. રિઝર્વ બેંક દ્વારા ઉપરોક્ત મુદત માં કરેલા વધારા નો ગર્ભિત મતલબ એ નથી કે ભારતીય રિઝર્વ બેંક, આ બેંક ની નાણાકીય સ્થિતિ માં થયેલ સુધારા થી સંતુષ્ટ છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/2310 |