<font face="mangal" size="3">બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મં&# - આરબીઆઈ - Reserve Bank of India
બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ ૩૫-એ હેઠળ નિર્દેશો-
ધી નીડ્સ ઓફ લાઈફ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
૩૦ એપ્રિલ ૨૦૧૯ બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ ૩૫-એ હેઠળ નિર્દેશો- તારીખ ૨૬ ઓક્ટોબર ૨૦૧૮ ના આદેશથી ધી નીડ્સ ઓફ લાઈફ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ ૨૯ ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ કારોબારની સમાપ્તિથી નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી અને આ નિર્દેશો સમીક્ષાને આધીન, તારીખ ૨૯ એપ્રિલ ૨૦૧૯ સુધી અમલમાં છે. ૨. આથી જાહેર જનતાની જાણ માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંક, બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ ની કલમ ૫૬ ની સાથે વંચાતી કલમ ૩૫(એ) ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને આ સાથે આદેશ આપે છે કે ઉપરોક્ત બેંકને જારી કરવામાં આવેલ તારીખ ૨૬ ઓક્ટોબર ૨૦૧૮ નો આદેશ કે જેની માન્યતા ૨૯ એપ્રિલ ૨૦૧૯ સુધી અમલમાં હતી તે તારીખ ૨૪ એપ્રિલ ૨૦૧૯ ના આદેશ અનુસાર તારીખ ૩૦ એપ્રિલ ૨૦૧૯ થી ૨૯ ઓક્ટોબર ૨૦૧૯ સુધી, વધુ છ મહિના સુધી, સમીક્ષાને આધીન, અમલમાં રહેવાનું ચાલુ રહેશે. ૩. સંદર્ભાધીન નિર્દેશની અન્ય શરતો અપરિવર્તિત રહેશે. ઉપરોક્ત વધારો સૂચિત કરતી તારીખ ૨૪ એપ્રિલ ૨૦૧૯ ના નિર્દેશ ની પ્રતિ લોકોના અવલોકનાર્થે બેંક પરિસરમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ૪. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉપરોક્ત વધારો અને / અથવા ફેરફારોનો આપમેળે એવો અર્થ ન થવો જોઈએ કે બેંકની નાણાંકીય સ્થિતિ માં વાસ્તવિક સુધારાથી ભારતીય રિઝર્વ બેંક સંતુષ્ટ છે. શૈલજા સીંઘ પ્રેસ પ્રકાશન: 2018-2019/2562 |