<font face="mangal" size="3">બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મં&# - આરબીઆઈ - Reserve Bank of India
બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ ૩૫-એ હેઠળ નિર્દેશો - ધી આર.એસ. કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
૧૦ જુલાઈ ૨૦૧૮ બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ ૩૫-એ હેઠળ નિર્દેશો - ધી આર.એસ. કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર તારીખ ૨૪ જુન ૨૦૧૫ના નિર્દેશ દ્વારા ૨૬ જુન ૨૦૧૫ ના રોજ કારોબારની સમાપ્તિથી નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશોમાં સમયાંતરે સુધારા કર્યા હતાં અને સમયાંતરે તેની માન્યતા લંબાવવામાં આવી હતી, જે છેલ્લે ૧૯ જાન્યુઆરી ૨૦૧૮ ના નિર્દેશ દ્વારા લંબાવવામાં આવી હતી અને તે સમીક્ષાને આધીન, ૨૫ જુલાઈ ૨૦૧૮ સુધી માન્ય હતી. આથી જાહેર જનતાની જાણ માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંક, બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ ની કલમ ૫૬ ની સાથે વંચાતી કલમ ૩૫(એ) ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને આ સાથે આદેશ આપે છે કે આર.એસ. કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને ૨૪ જુન ૨૦૧૫ના ના રોજ જારી કરવામાં આવેલ નિર્દેશ, જેમાં સમયાંતરે ફેરફાર કર્યા હતાં, જેની માન્યતા છેલ્લે ૧૯ જાન્યુઆરી ૨૦૧૮ના આદેશ દ્વારા ૨૫ જુલાઈ ૨૦૧૮ સુધી લંબાવવામાં આવી હતી તે, સમીક્ષાને આધીન, ૨ જુલાઈ ૨૦૧૮ ના આદેશ મુજબ ૨૬ જુલાઈ ૨૦૧૮ થી ૨૫ જાન્યુઆરી ૨૦૧૯ સુધી વધુ છ મહિના સુધી અમલમાં રહેશે. ઉપરોક્ત સુધારા સૂચિત કરતી તારીખ ૨ જુલાઈ ૨૦૧૮ ના આદેશ ની નકલ લોકોના અવલોકનાર્થે બેંક પરિસરમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉપરોક્ત સુધારાઓનો આપમેળે એવો અર્થ ન થવો જોઈએ કે બેંકની નાણાંકીય સ્થિતિ માં વાસ્તવિક સુધારાથી ભારતીય રિઝર્વ બેંક સંતુષ્ટ છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/90 |