RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78495271

બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35A અંતર્ગત ડાયરેકશન્સ (નિર્દેશો)—યુ.પી.સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, લખનૌ

તારીખ: 26 સપ્ટેમ્બર 2018

બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35A અંતર્ગત ડાયરેકશન્સ (નિર્દેશો)—યુ.પી.સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, લખનૌ

ભારતીય રીઝર્વ બેંક સંતુષ્ટ થાય છે કે જાહેર જનતાના હિતમાં, યુ.પી.સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, લખનૌ ને કેટલાક ચોક્કસ ડાયરેકશન્સ (નિર્દેશો) જારી કરવા આવશ્યક છે. તદ અનુસાર, ભારતીય રિઝર્વ બેંક, બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ)ની કલમ 56 સાથે વંચાણમાં લેતાં, 35A ની પેટા કલમ (1) અંતર્ગત મળેલ સત્તાનો ઉપયોગ કરીને નિર્દેશ આપે છે કે યુ.પી.સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, લખનૌ 25 સપ્ટેમ્બર 2018ના રોજ કારોબારની સમાપ્તિથી, ભારતીય રિઝર્વ બેન્કની પૂર્વ લેખિત મંજૂરી વિના, કોઇપણ પ્રકારની લોન અને એડવાન્સીઝ મંજૂર કરશે નહી કે તેનું નવીનીકરણ કરશે નહી, કોઈ રોકાણ કરશે નહી, નાણા ઉછીના લેવા કે નવી થાપણોના સ્વીકાર સહીત કોઈ જવાબદારી /દેવું કરશે નહી, તેની જવાબદારીઓની અથવા ફરજોની ચુકવણી માટે અથવા અન્ય રીતે કોઈ ચુકવણી કરશે નહી કે ચુકવણી માટે સંમત થશે નહી, કોઈ સમાધાન કે વ્યવસ્થા કરશે નહી અને તેની કોઇપણ મિલકતો કે અસ્કયામતોનું વેચાણ, ફેરબદલી કે અન્ય રીતે તેનો નિકાલ કરશે નહી, સિવાય કે નીચે આપેલ પદ્ધતિ કે મર્યાદા સુધી:

પ્રત્યેક બચત બેંક ખાતા અથવા ચાલુ ખાતા અથવા અન્ય થાપણ ખાતા જેને કોઇપણ નામે ઓળખવામાં આવતું હોય તેમાં કુલ શેષ રાશિના (કુલ બેલેન્સના) 1000 (રૂપિયા એક હજાર)થી વધુ નહી તેવી રકમ એક ડિપોઝીટર દ્વારા ઉપાડવા દેવામાં આવશે એ શરતે કે આવા ડીપોઝીટરની બેંક પ્રત્યે કોઈ જવાબદારી, કોઇપણ પ્રકારે, એટલે કે દેવાદાર અથવા જામીન તરીકે, હોય તો તે રકમનું સૌ પ્રથમ સંબંધિત લોન ખાતામાં સમાયોજન કરવામાં આવશે.

હાલની મુદતી થાપણોનું તેમની પાકતી મુદતે તે જ નામે અને તે જ ક્ષમતામાં નવીનીકરણ કરી શકશે.

ઉપરોક્ત ડાયરેકશન્સમાં અનુમતિ આપેલ ખર્ચ કરી શકાશે.

સરકારી અથવા એસ એલ આર માન્ય સિક્યોરીટીઝમાં રોકાણો કરી શકાશે

તે અન્ય કોઇપણ જવાબદારી ઉભી કરશે નહી કે તેની ચૂકવણી કરશે નહી સિવાય કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા લેખિતમાં મંજૂરી આપવામાં આવેલી હોય.

વિસ્તૃત ડાયરેકશન્સ જાહેર જનતાના રસ ધરાવતા સભ્યોના અવલોકન માટે બેન્કના મકાનમાં પ્રદર્શિત કરવામાં આવેલ છે. સંજોગોના આધારે રીઝર્વ બેંક આ નિર્દેશોમાં સુધારાઓ અંગે વિચારણા કરી શકે છે. ભારતીય રીઝર્વ બેંક દ્વારા જારી કરાયેલ ઉપરના નિર્દેશોનું અર્થઘટન રીઝર્વ બેંક દ્વારા બેંકિંગ લાયસન્સ રદ કરવા તરીકે ન કરવું જોઈએ. બેંક નિયંત્રણો સાથે બેંકિંગ કારોબાર (Business) ચાલુ રાખશે.

આ સૂચનાઓ, સમય સમય પર સમીક્ષાને આધીન, 25 સપ્ટેમ્બર 2018 ના રોજના કારોબારની સમાપ્તિથી છ માસના સમય ગાળા માટે અમલમાં રહેશે.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/712

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?