<font face="mangal" size="3">બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આ& - આરબીઆઈ - Reserve Bank of India
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- વસંત દાદા નાગરી સહકારી બેંક લીમીટેડ, ઉસ્માનાબાદ, મહારાષ્ટ્ર
તારીખ : માર્ચ 14, 2019 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- વસંત દાદા નાગરી સહકારી બેંક લીમીટેડ, ઉસ્માનાબાદ, મહારાષ્ટ્ર જાહેર જનતા ના હિતમાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેન્કે વસંત દાદા નાગરી સહકારી બેંક લીમીટેડ, ઉસ્માનાબાદ, મહારાષ્ટ્ર ને તારીખ 13 નવેમ્બર, 2017 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી નિર્દેશો આપેલ હતા. હવે ભારતીય રિઝર્વ બેંકે તારીખ 14 માર્ચ 2019 થી 13 જુન 2019 સુધી વધુ ત્રણ મહિના માટે આ નિર્દેશો ની મુદત માં વધારો કરેલ છે. નિર્દેશ માં બેંક ઉપર કેટલીક મર્યાદા અને/અથવા ઉપાડ કરવા ઉપર/નવી થાપણો સ્વીકારવા ઉપર કેટલીક મર્યાદા નિયત કરવામાં આવેલી. રસ ધરાવતી જનતા ની જાણ માટે આ આ નિર્દેશો ની વિગતો બેંક ની જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવેલ છે. પરિસ્થિતિ અનુસાર રિઝર્વ બેંક આ નિર્દેશો માં સુધારા કરી શકશે. રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલા નિર્દેશો નો ગર્ભિત મતલબ એ નથી કે રિઝર્વ બેંકે બેન્કિંગ લાયસન્સ રદ કર્યું છે. આ બેંક તેનો બેન્કિંગ નો ધંધો તેની નાણાકીય પરિસ્થિતિ સુધરે નહિ ત્યાં સુધી અંકુશો ને આધીન રહીને ચાલુ રાખી શકશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/2190 |