<font face="mangal" size="3">બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની ધારા 35(A) અને ધારા 56 &# - આરબીઆઈ - Reserve Bank of India
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની ધારા 35(A) અને ધારા 56 મુજબ મુદત લંબાવવા બાબત હુકમ - વસંતદાદા નાગરી સહકારી બેંક લી., ઉસ્માનાબાદ, મહારાષ્ટ્ર
નવેમ્બર ૦૫, ૨૦૧૮ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની ધારા 35(A) અને ધારા 56 મુજબ મુદત લંબાવવા બાબત હુકમ - ભારતીય રિઝર્વે બેંકના (RBI), જાહેર જનતાનાં હિતમાં, વસંતદાદા નાગરી સહકારી બેંક લિ., ઉસ્માનાબાદ, મહારાષ્ટ્ર ને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,૧૯૪૯ (AACS) ની ધારા 35A અંતર્ગત રિઝર્વ બેંકને મળેલ સત્તા મુજબ ૧૩ નવેમ્બર ૨૦૧૭ ના બેંકિંગ સમયની સમાપ્તિથી, નિર્દેશ આપેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે આ નિર્દેશની મુદત ૧૪ નવેમ્બર ૨૦૧૮ થી ૧૩ માર્ચ ૨૦૧૯ સુધી ચાર મહિના માટે ફરીથી લંબાવી છે. આ નિર્દેશથી કેટલાક પ્રતિબંધ/મહત્તમ મર્યાદા, રોકડ રકમ જમા કરવાં તેમજ ઉપાડવા માટે નિર્ધારિત કરવામાં આવી છે. જાહેર જનતાનાં હિતમાં નિર્દેશની વિસ્તૃત માહિતી બેંક ભવનમાં દર્શાવવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક પરિસ્થિતિઓના આધારે ફેરફાર માટે વિચાર કરી શકે છે. ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશનો અર્થ એ નથી કે બેંકિંગ લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. બેંક પોતાની આર્થિક સ્થિતિમાં સુધાર આવે ત્યાં સુધી, આ પ્રતિબંધો સાથે બેંકિંગ કારોબાર ચાલુ રાખી શકશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/1053 |