<font face="mangal" size="3">બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (એએસીએસ) ની કલમ ૫૬ - આરબીઆઈ - Reserve Bank of India
બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (એએસીએસ) ની કલમ ૫૬ ની સાથે વંચાતી કલમ ૩૫-એ હેઠળ નિર્દેશો- ભીલવાડા મહિલા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ભીલવાડા (રાજસ્થાન)
૬ જુલાઈ ૨૦૧૮ બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (એએસીએસ) ની કલમ ૫૬ ની સાથે વંચાતી કલમ ૩૫-એ હેઠળ નિર્દેશો- આથી જાહેર જનતાની જાણકારી માટે સૂચિત કરવામાં આવે છે કે, બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (એએસીએસ) ની કલમ ૫૬ ની સાથે વંચાતી કલમ ૩૫-એ ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સત્તાઓનો ઉપયોગ કરતાં ભારતીય રિઝર્વ બેંક એ વાતથી સંતુષ્ઠ છે કે જાહેર હિતમાં ભીલવાડા મહિલા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ભીલવાડા (રાજસ્થાન) ને જારી કરાયેલ નિર્દેશો ની કામગીરીની સમયાવધિ લંબાવવી આવશ્યક છે. ૭ માર્ચ ૨૦૧૭ નો આદેશ ડીસીબીએસ.સીઓ.બીએસડી.૪-ડી-૯ / ૧૨.૨૭.૨૩૫/૨૦૧૬-૧૭, જે ૧૦ માર્ચ ૨૦૧૭ થી અમલમાં છે, જે છેલ્લે ૧ માર્ચ ૨૦૧૮ ના આદેશ ડીસીબીઆર. સીઓ. એઆઈડી /નં.ડી-૩૨/ ૧૨.૨૭.૨૩૫/૨૦૧૭-૧૮ થી ૧૦ માર્ચ ૨૦૧૮ થી ૯ જુલાઈ ૨૦૧૮ સુધી, વધુ ચાર મહિના માટે લંબાવવામાં આવ્યો હતો, તે તારીખ ૨ જુલાઈ ૨૦૧૮ના નિર્દેશ સં. ડીસીબીઆર.સીઓ.એઆઈડી/નં.ડી-૪/ ૧૨.૨૭.૨૩૫/૨૦૧૮-૧૯ મુજબ ૧૦ જુલાઈ ૨૦૧૮ થી ૯ ઓક્ટોબર ૨૦૧૮ સુધી વધુ ત્રણ મહિના માટે, સમીક્ષાને આધીન ઉપરોક્ત બેંક પર લાગુ રહેશે. સંદર્ભિત નિર્દેશો ની અન્ય શરતો અને નિયમો અપરિવર્તિત રહેશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/68 |