RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78500999

પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે, RBI પુન: ખાત્રી આપે છે; જાહેર જનતા ને ધીરજ રાખવાની અને અનુકુળતાએ નોટો નો વિનીમય કરવાની વિનંતિ કરે છે

તારીખ: 11 નવેમ્બર 2016

પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે, RBI પુન: ખાત્રી આપે છે; જાહેર જનતા ને ધીરજ રાખવાની અને અનુકુળતાએ
નોટો નો વિનીમય કરવાની વિનંતિ કરે છે

આજે જારી કરેલ એક નિવેદન માં ભારતીય રિઝર્વ બેંકે કહેલું છે કે વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જા ને પાછો ખેંચવાના કારણે તેણે સમગ્ર દેશ માં નવી રૂ. 2000 અને અન્ય મૂલ્ય વર્ગો ની નોટો નું વિતરણ કરવાની વ્યવસ્થા કરેલ છે.

બેકો પાસે પર્યાપ્ત માત્રામાં રોકડ ઉપલબ્ધ છે અને ચલણી નોટો ને સમગ્ર દેશમાં પહોચાડવાની તમામ વ્યવસ્થા કરેલ છે. 10 નવેમ્બર 2016 થી બેંક શાખાઓ એ નોટો બદલવાનું શરુ કરેલું છે.

RBI ના પત્રાચાર માં જણાવ્યા અનુસાર, બેંકો ને તેમના ATM ને રી-કેલીબ્રેટ કરવામાં થોડો સમય લાગી શકે છે; જયારે ATMs કાર્યરત થશે ત્યારે જાહેર જનતા 18 નવેમ્બર 2016 સુધી પ્રત્યેક દિવસે કાર્ડ દીઠ વધુમાં વધુ રૂ. 2000 સુધી ઉપાડી શકાશે; ત્યાર બાદ રૂ. 4000 પ્રત્યેક દિવસે કાર્ડ દીઠ ઉપાડી શકાશે. કેટલીક બેંકો શરૂઆત માં રૂ. 2000 નો ઉપાડ કરવા દેવા આ મશીનો નું રીકેલીબ્રેશન પૂર્ણ કરી શકવાથી કેટલાક ATMs મશીનો એ આજ સવાર થી કાર્ય કરવાનું શરુ કરી દીધું છે.

પરત ખેચેલા મુલ્યવર્ગો ની રૂ. 500 અને રૂ. 1000 ની નોટો ના વિનિમય ની સવલત લગભગ 50 દિવસ સુધી ઉપલબ્ધ છે. ભારતીય રિઝર્વ બેંક જાહેર જનતા ને ધીરજ રાખવાનો અનુરોધ કરે છે અને તેમની જૂની નોટો, કોઈપણ સમયે ૩૦ ડીસેમ્બર 2016 પહેલાં,તેમની અનુકુળતા એ બદલવાની વિનંતી કરે છે.

અલ્પના કીલાવાલા
પ્રધાન સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016-2017/1182

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?