<font face="Mangal" size="3">વિનિમય ની સવલત- દૂરુપયોગ ના અહેવાલો- જાહેર જનત& - આરબીઆઈ - Reserve Bank of India
વિનિમય ની સવલત- દૂરુપયોગ ના અહેવાલો- જાહેર જનતા ને ચેતવણી
તારીખ: 22 નવેમ્બર 2016 વિનિમય ની સવલત- દૂરુપયોગ ના અહેવાલો- જાહેર જનતા ને ચેતવણી જાહેર જનતા ને સૂચિત બેંક નોટો (જૂની રૂ. 500 અને રૂ. 1000 ના મૂલ્ય વર્ગ ની નોટો) ને કાયદેસર ના ચલણ ની નોટો સામે બદલવાની (વિનિમયની) અને તેમને અમર્યાદિત રકમમાં બેંક ખાતા માં જમા કરવાની સવલત, જાહેરાત ની તારીખે આ નોટો ધરાવનાર જાહેર જનતા ના સભ્યો ને આ નોટો નું મૂલ્ય વિનિમય દ્વારા અથવા તેમના બેંક ખાતા માં જમા કરીને મેળવવા માટે સક્ષમ બનાવવા પૂરી પાડવામાં આવી છે. એવા અહેવાલો છે કે કેટલાક ભોળા લોકો બીજા વતી આ નોટો બદલી રહ્યા છે; કેટલાક સંગ્રહેલી રોકડ તેમના બેંક ખાતાઓમાં જમા કરીને તેમને મદદ કરી રહ્યા છે. ઉપરાંત, આ માટે પ્રધાનમંત્રી જનધન યોજના ના ખાતાઓ નો પણ ઉપયોગ કરી રહ્યા છે. જાહેર જનતા ના સભ્યો ને ચેતવણી આપવામાં આવે છે કે સૂચિત બેંક નોટો નો બિન અધિકૃત પધ્ધતિ થી વિનિમય કરવો કે વ્યવહાર કરવો એ ગેર કાયદેસર છે અને સખત શિક્ષાત્મક પગલા માટે જવાબદાર છે. અલ્પના કીલાવાલા પ્રેસ પ્રકાશન: 2016-2017/1283 |