<font face="mangal" size="3px">બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એસી એસ) ની કલમ 35 A હેઠ&# - આરબીઆઈ - Reserve Bank of India
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એસી એસ) ની કલમ 35 A હેઠળ ના નિર્દેશો નું વિસ્તરણ – અંજિક્યતારા સહકારી બેંક લી., સતારા, મહારાષ્ટ્ર
તારીખ: 1 ઓક્ટોબર 2016 બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એસી એસ) ની કલમ 35 A હેઠળ ના નિર્દેશો નું વિસ્તરણ – અંજિક્યતારા સહકારી બેંક લી., સતારા, મહારાષ્ટ્ર, ને તારીખ 28 સપ્ટેમ્બર 2015 ના નિર્દેશ સંક્યા DCBS. CO. BSD – 1 NO. D – 19 / 12. 22. 328 / 2015 – 16 દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એસી એસ) ની કલમ 35 A હેઠળ 30 સપ્ટેમ્બર 2015 ના કામકાજના અંત થી છ માસના સમય માટે નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. ઉપરોક્ત નિર્દેશની વૈધતા અમારા તારીખ 29 માર્ચ 2016 ના નિર્દેશ દ્વારા છ માસ વિસ્તારવામાં આવી હતી. જાહેરજનતા ની માહિતી માટે આં સાથે સૂચિત કરવામાં આવે છે કે, ઉપરોક્ત તારીખ 28 સપ્ટેમ્બર 2015 નો અંજિક્યતારા સહકારી બેંક લી., સતારા ને જારી કરવામાં આવેલ નિર્દેશ, તારીખ 29 માર્ચ 2016 ના આદેશ સાથે વંચાણમાં લેતા, તારીખ 28 સપ્ટેમ્બર 2016 ના સુધારેલા આદેશ સંખ્યા DCBR. CO. AID / D – 08 / 12. 22. 328 / 2015 – 16 દ્વારા, સમિક્ષાને આધીન, બેંક ને 30 માર્ચ 2017 સુધી વધુ છ માસના સમય માટે લાગુ પાડવાનું ચાલુ રહેશે. સંદર્ભ હેઠળના આદેશની અન્ય શરતો યથાવત રહેશે. તારીખ 28 સપ્ટેમ્બર 2016 ના આદેશની એક નકલ જાહેરજનતાના અવલોકન માટે બેંકના મકાનમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ભારતીય રીઝર્વ બેંક નો ઉપરોક્ત સુધારો એવું અર્થઘટન સૂચવતો નથી કે બેંક ની નાણાંકીય સ્થિતિમાં વાસ્તવિક સુધારાથી ભારતીય રીઝર્વ બેંક સંતુષ્ટ છે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2016 – 2017/829 |