<font face="mangal" size="3">વસંતદાદા નાગરી સહકારી બેંક લીમીટેડ, ઓસ્માના - આરબીઆઈ - Reserve Bank of India
વસંતદાદા નાગરી સહકારી બેંક લીમીટેડ, ઓસ્માનાબાદ, મહારાષ્ટ્ર ના નીર્દેશો ની મુદત માં વધારો
તારીખ : મે 16, 2018 વસંતદાદા નાગરી સહકારી બેંક લીમીટેડ, ઓસ્માનાબાદ, મહારાષ્ટ્ર ના નીર્દેશો ની મુદત માં વધારો જાહેર જનતા ના હિત માં ભારતીય રિઝર્વ બેંકે વસંતદાદા નાગરી સહકારી બેંક લીમીટેડ, ઓસ્માનાબાદ, મહારાષ્ટ્ર ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A (1) ની જોગવાઈ અંતર્ગત 13 નવેમ્બર 2017 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી 6 મહિના માટે નિર્દેશ આપેલ હતો. ભારતીય રિઝર્વ બેંકે હવે ફરીથી આ નિર્દેશ ની મુદત માં 14 મે 2018 થી 13 નવેમ્બર 2018 સુધી 6 મહીનાનો વધારો કરેલ છે. આ નિર્દેશો દ્વારા કેટલીક મર્યાદાઓ લાદવામાં આવેલ છે અને / અથવા ઉપાડ કરવા ઉપર /થાપણો સ્વીકારવા ઉપર લીમીટ નિયત કરવામાં આવી છે. હિત ધરાવતી વ્યક્તિઓ ની જાણ માટે આ નિર્દેશો વિગતે બેંક ના કાર્યાલય ના મકાન માં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. પરિસ્થિતિ અનુસાર ભારતીય રિઝર્વ બેંક આ નિર્દેશોમાં સુધારો કરી શકે છે. આ નિર્દેશ ઇસ્યુ કરવાનો મતલબ એ કરવાનો નથી કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેન્કિંગ લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યું છે. બેંક તેની નાણાકીય પરિસ્થિતિ માં સુધારો થાય ત્યાં સુધી મર્યાદાઓ ને અધીન બેન્કિંગ નો ધંધો કરી શકશે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2017-2018/3007 |