<font face="mangal" size="3">નાણા મંત્રી આરબીઆઈ ના સેન્ટ્રલ બોર્ડ ના ડાયર - આરબીઆઈ - Reserve Bank of India
નાણા મંત્રી આરબીઆઈ ના સેન્ટ્રલ બોર્ડ ના ડાયરેક્ટરો ને મળે છે
તારીખ: 11 ફેબ્રુઆરી 2017 નાણા મંત્રી આરબીઆઈ ના સેન્ટ્રલ બોર્ડ ના ડાયરેક્ટરો ને મળે છે શ્રી અરુણ જેટલી, માનનીય કેન્દ્રીય નાણા મંત્રી, એ આજે નવી દિલ્હી માં ભારતીય રિઝર્વ બેંક ના સેન્ટ્રલ બોર્ડ ની બજેટ પછીની પ્રણાલીકાગત મીટીંગ માં સંબોધન કર્યું. માનનીય નાણા મંત્રી એ તેમના ભાષણ માં રાજકોષીય શિસ્ત ના માર્ગ પર ચાલુ રહીને ગુડ્સ અને સર્વિસ ટેક્ષ (જીએસટી) દાખલ કરવા અને નાના અને મધ્યમ સાહસો ના (એસએમઈ) ક્ષેત્ર માટે કરવેરા માં ઘટાડો ઉપરાંત બજેટ માં જેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું તેવા ગ્રામિણ ક્ષેત્ર, હાઉસીંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ની અગત્યતા પર ભાર મુક્યો. કેન્દ્રીય નાણા મંત્રી સાથે શ્રી અર્જુન રામ મેઘવાળ, રાજ્ય કક્ષા ના નાણા મંત્રી, પણ હતા. શ્રી અશોક લાવાસ, નાણા સચિવ, ડૉ. હસમુખ અઢિયા, સચિવ (રેવન્યુ), શ્રી નીરજકુમાર ગુપ્તા, સચિવ, (ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ & પબ્લિક એસેટ મેનેજમેન્ટ) અને ડૉ. અરવિંદ સુબ્રમનિયન, ચીફ ઇકોનોમિક એડવાઈઝર પણ મીટીગ માં ઉપસ્થિત હતા. સેન્ટ્રલ બોર્ડ ની 563 મી મીટીંગ માં ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક પ્રમુખસ્થાને હતા. ભારતીય રિઝર્વ બેંક ના ડેપ્યુટી ગવર્નરો શ્રી આર. ગાંધી, શ્રી એસ.એસ. મુન્દ્રા, શ્રી એન. એસ. વિશ્વનાથન અને ડૉ. વિરલ આચાર્ય ઉપરાંત, બેઠક માં ઉપસ્થિત રિઝર્વ બેંક ના સેન્ટ્રલ બોર્ડ ના અન્ય ડાયરેક્ટરો માં શ્રી નટરાજન ચન્દ્રશેખરન, શ્રી ભરત દોશી, શ્રી સુધીર માંકડ, ડૉ. રાજીવ કુમાર, ડૉ. અશોક ગુલાંટી અને શ્રી મનીષ સભરવાલ નો સમાવેશ થતો હતો. સરકાર ના નોમીની ડાયરેક્ટરો શ્રી શશીકાંત દાસ, સચિવ, ડીપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ અને સુશ્રી અંજલી ચીબ દુગ્ગલ, સચિવ, વિત્તીય સેવાઓના વિભાગ, પણ બેઠક માં ઉપસ્થિત હતા. બોર્ડે વર્તમાન આર્થિક પરિસ્થિતિ, વૈશ્વિક અને ઘરેલુ પડકારો તથા ભારતીય રિઝર્વ બેંક ના પરિચાલન ને લગતા વિશિષ્ટ કાર્ય વિસ્તારો ની સમીક્ષા કરી. જોસ જે. કત્તૂર પ્રેસ પ્રકાશન: 2016-2017/2166 |