RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78476892

નાણાકીય સમાવેશન નિધિ (એફઆઈએફ) – સંશોધિત માર્ગદર્શિકાઓ

આરબીઆઇ/2015-16/206
ડીસીબીઆર.આરસીબીડી.બીપીડી.સં.4/19.51.010/2015-16

15 ઓક્ટોબર 2015

મુખ્ય કાર્યપાલક અધિકારી
બધી પ્રાથમિક (શહેરી) સહકારી બેંક / રાજ્ય / કેન્દ્રીય સહકારી બેંક

મહોદયા / મહોદય,

નાણાકીય સમાવેશન નિધિ (એફઆઈએફ) – સંશોધિત માર્ગદર્શિકાઓ

જેવી રીતે આપ જાણો છો કે નાણાકીય સમાવેશન નિધિ (એફઆઈએફ) અને નાણાકીય સમાવેશન ટેકનોલોજી નિધિ (એફઆઈટીએફ) નું ગઠન વર્ષ 2007-08 માં પાંચ વર્ષ માટે 500 કરોડના કોરપસ સાથે કરવામાં આવ્યુ હતું. આ નિધિમાં ભારત સરકાર, રિઝર્વ બેંક અને નાબાર્ડ દ્વારા 40:40:20 પ્રમાણમાં ફાળો આપવામાં આવે છે. ભારત સરકારે આ બંને નિધિ માટેની માર્ગદર્શિકાઓ તૈયાર કરી હતી. આરબીઆઈએ એપ્રિલ, 2012 માં પ્રાથમિકતા પ્રાપ્ત ક્ષેત્રમાં ઓછું ધિરાણ થવાના કારણે આરઆઈડીએફ અને એસટીસીઆરસી થાપણો ઉપર 0.5% ઉપરાંત જમા થયેલ વ્યાજના તફાવતને એફઆઈએફ નિધિમાં તબદીલ કરવાનો નિર્ણય લીધો હતો.

2. આટલા વર્ષોમાં થયેલ વિભિન્ન ઉત્કર્ષોને ધ્યાનમાં રાખતા, ભારત સરકારે એઇઆઈએફ અને એફઆઈટીએફનું વિલિનીકરણ કરીને નાણાકીય સમાવેશન નિધિનું ગઠન કરેલ છે. રિઝર્વ બેંકે ભારત સરકાર સાથે પરામર્શ કરીને નવા એફઆઈએફની ઉપયોગિતા અંગેની માર્ગદર્શિકાઓ તેમજ પ્રવૃત્તિઓના નવા કાર્યક્ષેત્રોને અંતિમ રૂપ આપ્યું છે. ભારત સરકાર દ્વારા પુનર્ગઠિત આ નવા એફઆઈએફનું નિયંત્રણ સલાહકાર બોર્ડ દ્વારા કરવામાં આવશે તથા તેની જાળવણી નાબાર્ડ દ્વારા કરવામાં આવશે.

3. નવા નાણાકીય સમાવેશન નિધિ અંગેની સંશોધિત માર્ગદર્શિકાઓ આપની માહિતી માટે આ સાથે સંલગ્ન કરવામાં આવી છે.

ભવદીયા,

(સુમા વર્મા)
પ્રધાન મુખ્ય મહાપ્રબંધક


નાણાકીય સમાવેશન નિધિ – માર્ગદર્શિકાઓ

1. નિધિનું ગઠન
1.1 પ્રથમ પાંચ વર્ષ સમાપ્ત થયા બાદ, હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે નાણાકીય સમાવેશન નિધિ અને નાણાકીય સમાવેશન ટેકનોલોજી નિધિ, એમ બંનેનું વિલિનીકરણ કરીને એક નિધિ નામે નાણાકીય સમાવેશન નિધિ (એફઆઈએફ) માં રૂપાંતર કરવું.
1.2 નવા એફઆઈએફનું એકંદર કોરપસ રૂા.2000 જેટલું રહેશે. એફઆઈએફમાં નાબાર્ડમાં રાખવામાં આવેલા આરડીએફ અને એસટીસીઆરસી ખાતામાં પ્રાથમિકતા પ્રાપ્ત ક્ષેત્રમાં ઓછું ધિરાણ (રિઝર્વ બેંક દ્વારા જુદા જુદા સમયે અધિસૂચિત કર્યા પ્રમાણે) આપવાના કારણે થયેલ 0.5% ઉપરાંતના વ્યાજ તફાવતમાંથી રકમ ફાળવવામાં આવશે.
1.3 પૂર્વકાલીન એફઆઈટીએફની બધી જ મિલકતો અને જવાબદારીઓ તથા અગાઉ મંજૂરી આપવામાં આવેલી પરિયોજનાઓ માટે એફઆઈટીએફ દ્વારા પહેલા કરેલી પ્રતિબદ્ધતાઓ, જેનો પૂર્વકાલીન નિધિના કાર્યક્ષેત્રમાં સમાવેશ થતો હોય, તે બધાને એફઆઈએફમાં તબદીલ કરવામાં આવશે યા ભરપાઈ કરવામાં આવશે.
1.4 આ નિધિના પરિચાલનની મુદત ત્રણ વર્ષની અથવા તો એટલા સમય સુધી રહેશે કે જે સમય ભારતીય રિઝર્વ બેંક અને ભારત સરકાર અન્ય સ્ટેકહોલ્ડરોની સાથે પરામર્શ કરીને નક્કી કરશે.
2. એફઆઈએફના ઉદ્દેશો
એફઆઈએફનો ઉદ્દેશ વિકાસાત્મક અને સંવર્ધનાત્મક પ્રવૃત્તિઓને સમર્થન પ્રદાન કરવું, જેમાં દેશભરમાં નાણાકીય સમાવેશન (એફઆઈ) નો પાયાનું માળખું તૈયાર કરવો, સ્ટેકહોલ્ડરોની ક્ષમતામાં વૃદ્ધિ કરવી, માંગ પક્ષના મુદ્દાઓનું સમાધાન કરવા માટે જાગૃતિ પેદા કરવી, હરિયાળી ક્રાંતિ તેમ જ સંચાર પ્રૌદ્યોગિકી (આઈસીટી) નિરાકરણમાં રોકાણોની વૃદ્ધિ કરવી, પ્રૌદ્યોગિકીની શોધખોળ અને તબદીલી, નાણાકીય સમાવેશનમાં વૃદ્ધિ મેળવવા અર્થે નાણાકીય સેવા પ્રદાતાઓ તેમજ વપરાશકારોની પ્રાદ્યૌગિકીય ગ્રહણ ક્ષમતાને ઉત્તેજન આપવું વિ. સામેલ છે. આ નિધિનો ઉપયોગ સામાન્ય કારોબાર/બેંકિંગ પ્રવૃત્તિઓ માટે નહીં કરવામાં આવે.
2.1 ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય સમાવેશનની ગણના હમેશા કારોબારી પરિપ્રેક્ષ્યમાં કરવાની નીતિની જ હિમાયત કરી છે. તેથી તેણે હમેશા બેંકોને નાણાકીય સમાવેશનના પ્રયત્નોમાં થતા ખર્ચને લાંબા ગાળાના રોકાણના સ્વરૂપમાં જોવા માટે જ પ્રોત્સાહિત કરી છે જે ભવિષ્યમાં બેંકોને તેમના બેંકિંગ કારોબારના વિકાસ માટે સહાયક થશે. સાથે સાથે ભારતીય રિઝર્વ બેંકને વિનિયમાકીય અને સરકારી સંસ્થાઓના હસ્તક્ષેપની બાબત અંગેપણ ભાન છે જે આ ક્ષેત્રમાં બેંકોએ કરેલા રોકાણને ટેકારૂપ થાય તેવી ઈકો-સિસ્ટમના સર્જન માટે જરૂરી છે. આ પ્રકારના ઉદ્દેશથી જ નાણાકીય સમાવેશન નિધિનું સર્જન તેમજ જાળવણી એ ન્યાયોચિત છે.
2.2 આરબીઆઈની નીતિગત ઘોષણાના આધાર પર બેંકિંગ સુવિધા રહિત ક્ષેત્રોમાં બેંકિંગની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે બેંકોએ સૂચના અને સંપ્રેષણ પ્રૌદ્યોગિકી - કારોબાર પ્રતિનિધિ મૉડલને મોટા પાયે અપનાવ્યું છે. જો કે પરંપરાગત બ્રિક અને મોર્ટાર મૉડલની તુલનામાં આઈસીટી-બીસી મૉડલ બેંકિંગ સેવાઓ પૂરી પાડતું એક નજીવા ખર્ચવાળુ કારોબાર મૉડલ હોવા છતાં પણ બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા તેમાં રોકાણ કરવા માટેની સુવિધા કરવા માટે હજી પણ તેમાં નોંધપાત્ર રોકાણ કરવાની જરૂર છે.
2.3 છેલ્લા પાંચ વર્ષ દરમિયાન બેંકોએ એક એવો બુનિયાદી માળખું તૈયાર કરવામાં મોટા પાયે રોકાણો કરેલા છે જેના પરિણામસ્વરૂપે બેંકિંગ સુવિધા રહિત ક્ષેત્રોમાં બેંકિંગ સેવા ઉપલબ્ધ કરાવવા માટે મોટી સંખ્યામાં કારોબાર પ્રતિનિધિઓની નિમણુંક કરવામાં આવી છે અને બેંકના પ્રથમ વારના ગ્રાહકો માટે મોટી સંખ્યામાં બુનિયાદી બેંક ખાતા ખોલવામાં આવી રહ્યા છે. છતાં આ ખાતાઓમાં હજી સુધી કોઈ ગણનાપાત્ર માત્રામાં લેણદેણ થઈ નથી અને બેંકોએ પણ આ રોકાણોમાંથી હજી નફો રળવાનું શરૂ નથી કર્યું. આ કારણે કારોબારની તકોમાં ઘટાડો તેમજ આવક પૂરતી નહીં થવાના કારણે કારોબાર પ્રતિનિધિઓમાં પણ ઘટાડો થયો. કેટલાક પરિબળો જે બીસી મૉડલની સફળતામાં અવરોધરૂપ બન્યા છે તે છે બુનિયાદી માળખાને લગતી કેટલીક બાબતો જેમકે યોગ્ય કનેક્ટિવિટીનો અભાવ, બીસી પ્રતિનિધિઓને માટેના પ્રશિક્ષણ સુવિધાની ઉણપ, યોગ્ય કારોબાર મૉડલનું નહીં હોવાપણું વિ. પણ શામેલ છે. નાણાકીય સમાવેશન નિધિનો એક ઉદ્દેશ આવી મહત્વની સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પણ હશે જેના કારણે નાણાકીય સમાવેશન હેતુ માટે કરવામાં આવેલા પ્રયાસોને વેગ મળશે.
2.4 આ બધાના ફળસ્વરૂપે નાણાકીય સમાવેશન નિધિમાંથી નાણાકીય સમાવેશન સંબંધિત કયા પ્રકારની પ્રવૃત્તિઓ માટે નાણાની જરૂર છે તે દિશામાં નવો વિચાર કરવાના કારણ મળ્યા.
3. પાત્ર પ્રવૃત્તિઓ / ઉદ્દેશો
3.1 નાણાકીય સમાવેશન અને નાણાકીય સાક્ષરતા કેન્દ્રોની સ્થાપના કરવા માટે નિધિ સહાયતા અને તે ચલાવવા માટે જાળવણી ખર્ચ માટે સહાયતા. આ પ્રકારના કેન્દ્રોની સ્થાપના ભારત સરકાર દ્વારા પીએમજેડીવાયને આધીન બ્લોક સ્તર સુધી નાણાકીય સાક્ષરતા કેન્દ્રોની સ્થાપના કરવાના ઉદ્દેશની સાથે મળતી આવે છે. નાણાકીય સમાવેશન તેમજ સાક્ષરતા કેન્દ્રો ચલાવવા માટે બેંકો દ્વારા નિયોજવામાં આવેલા ટેકનીકલ માનવશક્તિના ખર્ચને (બેંકો પાસે માનવશક્તિની ઉણપ હોવાને કારણે) આ નિધિમાંથી પૂરો પાડવામાં આવશે. આ કેન્દ્રો દ્વારા કરવામાં આવનાર પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર નીચે મુજબ હશે.
  (ક) ક્ષેત્રની બધી જ વ્યક્તિઓ / પરિવારોને નાણાકીય સાક્ષરતાનું પ્રશિક્ષણ આપવું.
  (ખ) બેંક ખાતુ ખોલવા અને ખાતાને ચલાવવા માટે તેમજ અન્ય નાણાકીય ઉત્પાદો અને સેવાઓના સંદર્ભમાં પરામર્શ સેવા આપવી.
  (ગ) વિભિન્ન બેંકિંગ તેમજ અન્ય નાણાકીય ઉત્પાદો અને સેવાઓના સંદર્ભમાં બીસીને પ્રશિક્ષણ આપવું અને ગ્રાહકોને સુચારૂ રૂપથી સેવાઓની પ્રાપ્તિ થાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રૌદ્યોગિકી ઉપકરણોના ઉપયોગ અંગેનું પ્રશિક્ષણ આપવું.
  (ઘ) ગ્રાહકોની ફરિયાદો પર લક્ષ્ય આપીને ગ્રાહકની ફરિયાદોનું નિવારણ કરવું અને તે માટે જરૂર હોય તો મામલો સંબંધિત બેંક કે સંસ્થાના ધ્યાનમાં લાવવો.
3.2 ગ્રામ પંચાયતમાં પ્રમાણભૂત સંવાદાત્મક નાણાકીય સાક્ષરતા કિઓસ્કની સ્થાપના તેમજ હજી સુધી સામેલ ન થયેલા ક્ષેત્રોમાં બેંકો દ્વારા કોઈ અન્ય પ્રકારે નાણાકીય સાક્ષરતા ફેલાવવા માટેના પ્રયાસ.
3.3 આરએસઈટીઆઈ સહિત (રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ ન કરાવવાની પરિસ્થિતિમાં) વ્યાપાર એવં ક્ષમતા વિકાસ કેન્દ્રોને ચલાવવા માટે નાબાર્ડ તેમજ બેંકોને સહાયતા પ્રદાન કરવી જેથી આવકનું સર્જન થાય તેવી પ્રવૃત્તિ કરવા માટે અને વેચાણ સંબંધિત પ્રવૃત્તિઓ કરવા ફોરવર્ડ લીન્કેજીસ પૂરી પાડવા માટે જરૂરી કૌશલ્ય આપવામાં તે કેન્દ્રો સહાયભૂત થઈ શકે. આ અનુદાન એક વખતના મૂડી ખર્ચના અને મહત્તમ ત્રણ વર્ષની મુદત માટે કૌશલ્ય વિકાસ પ્રવૃત્તિઓને હાથ ધરવા માટે જરૂરી એવી ચાલુ મૂડીના સ્વરૂપમાં હશે. આ પ્રકારના કેન્દ્રો ચલાવવામાં લાગેલા કોર્પોરેટ્સ, એનજીઓ જેવી સંસ્થાઓ સાથે ભાગીદારી કરવા માટે નાબાર્ડ તેમજ બેંકો નિર્ણય લેવા માટે મુક્ત છે, તેમ છતાં, એફઆઈએફમાં થી ભંડોળની સહાયતાના માટે આવતા પ્રસ્તાવ પર ત્યારે જ ધ્યાન આપવામાં આવશે જ્યારે આવો પ્રસ્તાવ નાબાર્ડ કે બેંક તરફથી આવ્યો હોય.
3.4 નાણાકીય સમાવેશન માટે નવીન ઉત્પાદનો, પ્રક્રિયાઓ, પ્રોટોટાઈપ્સ વિગેરેના વિકાસ માટે પ્રારંભિક પરિયોજના હેતુ સહાયતા. આ પ્રકારના ઉત્પાદનો અને પ્રોટોટાઈપ માટેની દરખાસ્તોને યોજનાના અમલ સાથે સંકળાયેલી બેંક દ્વારા જ રજૂ કરવાની રહેશે.
3.5 નાણાકીય સમાવેશનની પ્રગતિના મૂલ્યાંકન માટે સર્વેક્ષણનું આયોજન કરવા માટે પ્રાધિકૃત એજન્સીઓને નાણાકીય સહાયતા.
3.6 હજુ સુધી શામેલ ન થયેલ ક્ષેત્રોમાં લાસ્ટ માઈલ ફાઈબર ઑપ્ટિક નેટવર્ક નાખવા સંબંધિત સરકારી પરિયોજનાના ખર્ચને તેમજ નેટવર્ક કનેક્ટિવિટીના સર્જન યા સુધારા સંબંધિત પ્રૌદ્યોગિકી યા બુનિયાદી માળખા સંબંધી પરિયોજનાઓ માટે કરવામાં આવતા નિધિ પ્રદાનની વહેંચણી કરવી.
4. પાત્ર સંસ્થાઓ
  4.1 નાણાકીય સંસ્થાઓ જેવી કે વ્યાપારી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, સહકારી બેંકો અને નાબાર્ડ
  4.2 એવી પાત્ર સંસ્થાઓ કે જેની સાથે રહીને બેંક નાણાકીય સમાવેશન નિધિમાંથી સહાયતા મેળવવા કાર્ય કરી શકે.
 
  •  
એનજીઓ
 
  •  
એસએચજી
 
  •  
ખેડૂત ક્લબ
 
  •  
ફંક્શનલ કો-ઓપરેટીવ્સ
 
  •  
કોર્પોરેટ સંસ્થાઓના સૂચના પ્રૌદ્યોગિકી યુક્ત ગ્રામીણ આઉટલેટ
 
  •  
સારી રીતે કાર્ય કરતી પંચાયત
 
  •  
ગ્રામીણ બહુહેતુક કીઓસ્ક્સ/ ગ્રામીણ જ્ઞાન કેન્દ્રો
 
  •  
રાષ્ટ્રીય ઈ-શાસન યોજના હેઠળ કાર્યરત સેવા કેન્દ્ર એજન્સીઓ દ્વારા સ્થાપવામાં આવેલા સામાન્ય સેવા કેન્દ્રો
 
  •  
પ્રાથમિક કૃષિ સોસાયટી

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?