<font face="mangal" size="3">નાણાકીય સાક્ષરતા અઠવાડિયું (જૂન 5-9, 2017)</font> - આરબીઆઈ - Reserve Bank of India
નાણાકીય સાક્ષરતા અઠવાડિયું (જૂન 5-9, 2017)
તારીખ: જૂન 05, 2017 નાણાકીય સાક્ષરતા અઠવાડિયું (જૂન 5-9, 2017) નાણાકીય સાક્ષરતા નાણાકીય સમૃદ્ધિ તરફનું પ્રથમ પગલું છે. નાણાકીય સાક્ષરતા સામાન્ય માણસને જ્ઞાન સાથે સશક્ત છે જે વધુ સારા નાણાકીય નિર્ણય લે છે અને છેવટે નાણાંકીય સુખાકારી. દર વર્ષે મહત્વના વિષયો પર મોટા પાયે જાગૃતિ લાવવા માટે, ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઇ) વર્ષમાં એક સપ્તાહ 'ફાઇનાન્શિયલ લિટ્રેસી વીક' તરીકે મનાવવાનું નક્કી કર્યું છે. આ વર્ષે આર.બી.આઇ તમામ રાજ્યોમાં જુન 5 થી 9 માં ફાઇનાન્સિયલ લિટરસી વીક તરીકે મનાવશે.. સપ્તાહ માટે નક્કી કરેલા સંદેશાઓ હશે (એ) તમારા ગ્રાહકને જાણો (કેવાયસી), (બી) ધિરાણ શિસ્તનો ઉપયોગ કરવો, (સી) ડિજિટલ થવું - યુપીઆઈ, (ડી) ડિજિટલ *99# (યુ.એસ.એસ.ડી) અને (ઇ) ફરિયાદ નિરાકરણ પદ્ધતિ અંગે જાગૃતિ. બેંક શાખાઓમાં સપ્તાહ દરમિયાન નાણાકીય સાક્ષરતા સામગ્રીનું પ્રદર્શન, વિવિધ જિલ્લાઓમાં જાહેર જનતા માટે સાક્ષરતા કેમ્પનું સંચાલન, નાણાકીય સાક્ષરતા કેન્દ્રોમાં સાક્ષરતાના પ્રયત્નોને વધારવા વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થશે. આ પહેલની સફળતાને સુનિશ્ચિત કરવા આરબીઆઈના અધિકારીઓ બેન્કર્સ અને જિલ્લા કક્ષાનાં સત્તાવાળાઓ સાથે કામ કરશે. આજે આર.બી.આઇ ની મુંબઇ પ્રાદેશિક કચેરીમાં યોજાયેલ સંક્ષિપ્ત સમારોહમાં મહારાષ્ટ્ર રાજ્ય માટે સપ્તાહ સુધી ચાલનારી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી હતી. મુખ્યત્વે મહારાષ્ટ્રમાં ઉપસ્થિતિ વાળા તથા અન્ય બેન્કોના સિનિયર અધિકારીઓએ પણ હાજરી આપી હતી. મુખ્ય મહેમાન શ્રી જી. પદ્મનાભન, ચેરમેન, બેન્ક ઓફ ઇન્ડિયા, એ બેંકોની શાખાઓમાં પ્રદર્શિત કરવા આરબીઆઈ દ્વારા તૈયાર કરાયેલ નાણાકીય સાક્ષરતા સામગ્રી નું વિમોચન કર્યું હતું , જેમણે આમંત્રિતોને સંબોધન પણ કર્યું હતું અને નાણાકીય સાક્ષરતા પહેલના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આરબીઆઇ મહારાષ્ટ્ર અને ગોવાના પ્રાદેશિક નિયામક, ડૉ. એસ. રાજગોપાલે બેઠકનું અધ્યક્ષ પદ સંભાળ્યું હતું. સંમેલનને સંબોધનાર અન્ય વરિષ્ઠ અધિકારીઓમાં બેન્ક ઓફ મહારાષ્ટ્રના એમડી અને સીઇઓ શ્રી આર.પી. મરાઠે, શ્રી નીરજ વ્યાસ, ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર, એસબીઆઇ અને શ્રી કે.કે. તનેજા, જનરલ મેનેજર, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા સમાવેશ થાય છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/3284 |