RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78476257

કુદરતી આફતોથી પ્રભાવિત ક્ષેત્રોમાં બેકો દ્વારા રાહત ઉપાયો માટે માર્ગદર્શિકાઓ – વીમા રકમનો ઉપયોગ

ભારિબેં/2015-2016/436
નાસવિવિ.સં.એફએસડી.બીસી.27/05.10.001/2015-16

30 જુન 2016

અધ્યક્ષ / પ્રબંધક નિર્દેશક / મુખ્ય કાર્યપાલક અધિકારી
[બધી જ અનુસૂચિત વાણિજ્ય બેંકો (ક્ષેત્રીય ગ્રામીણ બેંકોને બાકાત રાખતા)]

મહોદય / મહોદયા,

કુદરતી આફતોથી પ્રભાવિત ક્ષેત્રોમાં બેકો દ્વારા રાહત ઉપાયો માટે માર્ગદર્શિકાઓ –
વીમા રકમનો ઉપયોગ

તારીખ 01 જુલાઈ 2015 નો માસ્ટર પરિપત્ર નાસવિવિ.સં.એફએસડી.બીસી. 01/05.10.001/2015-16 નો પેરા 6.13 અનુસાર બેંકોથી એમ અપેક્ષિત છે કે તેઓ કુદરતી આફતોથી પ્રભાવિત ક્ષેત્રોમાં ઋણોની પુન:સંરચના કરતી વખતે જે કિસ્સાઓમાં તેમને ઉધારકર્તાઓને નવા ઋણ પ્રદાન કરેલા છે, તે ‘પુન:સંરચિત ખાતાઓ (restructured accounts)’ ના કિસ્સામાં વીમા કંપનીથી પ્રાપ્ત, વીમાની રકમ, જો કોઈ હોય, તો તેને સમાયોજિત (adjust) કરે.

2. કુદરતી આફતોથી પ્રભાવિત ક્ષેત્રોમાં ખેડૂતો દ્વારા અનુભવવામાં આવતી કઠિનાઈઓને જોતા બેંકોને સૂચિત કરવામાં આવે છે કે તેઓ ખેડૂતોની સાથે સહાનુભૂતી સાથે કામ કરે અને જે કિસ્સાઓમાં દાવા પ્રાપ્ત થવાનું નિશ્ચિત છે તે કિસ્સાઓમાં વીમા દાવાઓની પ્રાપ્તિની પ્રતીક્ષા કર્યા વગર ઋણની પુન:સંરચના કરવા માટે અને નવું ઋણ પ્રદાન કરવા પર વિચાર કરે.

ભવદીયા

(ઉમા શંકર)
મુખ્ય મહાપ્રબંધક

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?