RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78493358

સંખ્યા પેનલોમાં વધતા કદના અંક, ઇંસેટ લેટર રહિત, અને કોતરણીવાળા મુદ્રણ વગરની 20 ની નોટો જારી કરવામાં આવશે

23 સપ્ટેમ્બર, 2016

સંખ્યા પેનલોમાં વધતા કદના અંક, ઇંસેટ લેટર રહિત,
અને કોતરણીવાળા મુદ્રણ વગરની 20 ની નોટો જારી કરવામાં આવશે.

ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી શૃંખલા-2005 માં ડૉ. રઘુરામ રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંકના હસ્તાક્ષર સહિત તેમજ બંને સંખ્યા પેનલોમાં ઇન્સેટ લેટર રહિત 20 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે જેની પાછળના ભાગ પર મુદ્રણ વર્ષ '2016' અંકિત કરેલું હશે.

આ નોટોની ડીઝાઈન તેમજ સુરક્ષા વિશેષતાઓ, બંને સંખ્યા પેનલોમાં વધતા કદના અંકો સહિત તેમજ કોતરણીવાળા મુદ્રણ વગરની, અવ્યક્ત છબી વગરની અને ઓળખ ચિહ્ન વગરની મહાત્મા ગાંધી શૃંખલા-2005 અંતર્ગત અગાઉ બહાર પાડવામાં આવેલી 20ના મૂલ્યવર્ગની બેંકનોટો સમાન જ હશે. કોતરણીવાળા મુદ્રણને દૂર કરવાને કારણે બેંકનોટના પૃષ્ઠભાગનો વર્ણ સ્હેજ આછો રહેશે. (સંદર્ભ: પ્રેસ પ્રકાશન નં. 2016-2017/678 તારીખ સપ્ટેમ્બર 15, 2016)

બેંક દ્વારા ભૂતકાળમાં જારી કરવામાં આવેલી 20ના મૂલ્યવર્ગની બધી જ બેંકનોટો વૈધ મુદ્રા તરીકે ચલણમાં રહેશે.

અજીત પ્રસાદ
સહાયક પરામર્શદાતા

પ્રેસ પ્રકાશન : 2016-2017/757

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?