<font face="mangal" size="3px">સંખ્યા પેનલોમાં વધતા કદના અંક, ઇંસેટ લેટર રહિ& - આરબીઆઈ - Reserve Bank of India
સંખ્યા પેનલોમાં વધતા કદના અંક, ઇંસેટ લેટર રહિત, અને કોતરણીવાળા મુદ્રણ વગરની ₹ 20 ની નોટો જારી કરવામાં આવશે
23 સપ્ટેમ્બર, 2016 સંખ્યા પેનલોમાં વધતા કદના અંક, ઇંસેટ લેટર રહિત, ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી શૃંખલા-2005 માં ડૉ. રઘુરામ રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંકના હસ્તાક્ષર સહિત તેમજ બંને સંખ્યા પેનલોમાં ઇન્સેટ લેટર રહિત₹ 20 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે જેની પાછળના ભાગ પર મુદ્રણ વર્ષ '2016' અંકિત કરેલું હશે. આ નોટોની ડીઝાઈન તેમજ સુરક્ષા વિશેષતાઓ, બંને સંખ્યા પેનલોમાં વધતા કદના અંકો સહિત તેમજ કોતરણીવાળા મુદ્રણ વગરની, અવ્યક્ત છબી વગરની અને ઓળખ ચિહ્ન વગરની મહાત્મા ગાંધી શૃંખલા-2005 અંતર્ગત અગાઉ બહાર પાડવામાં આવેલી ₹ 20ના મૂલ્યવર્ગની બેંકનોટો સમાન જ હશે. કોતરણીવાળા મુદ્રણને દૂર કરવાને કારણે બેંકનોટના પૃષ્ઠભાગનો વર્ણ સ્હેજ આછો રહેશે. (સંદર્ભ: પ્રેસ પ્રકાશન નં. 2016-2017/678 તારીખ સપ્ટેમ્બર 15, 2016) બેંક દ્વારા ભૂતકાળમાં જારી કરવામાં આવેલી ₹ 20ના મૂલ્યવર્ગની બધી જ બેંકનોટો વૈધ મુદ્રા તરીકે ચલણમાં રહેશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2016-2017/757 |