<font face="mangal" size="3px">સંખ્યા પેનલોમાં વધતા કદના અંક, ઇંસેટ લેટર રહિ& - આરબીઆઈ - Reserve Bank of India
સંખ્યા પેનલોમાં વધતા કદના અંક, ઇંસેટ લેટર રહિત, અને કોતરણીવાળા મુદ્રણ વગરની ₹ 50 ની નોટો જારી કરવામાં આવશે
23 સપ્ટેમ્બર, 2016 સંખ્યા પેનલોમાં વધતા કદના અંક, ઇંસેટ લેટર રહિત, ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી શૃંખલા-2005 માં ડૉ. રઘુરામ રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંકના હસ્તાક્ષર સહિત તેમજ બંને સંખ્યા પેનલોમાં ઇન્સેટ લેટર રહિત ₹ 50 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે જેની પાછળના ભાગ પર મુદ્રણ વર્ષ '2016' અંકિત કરેલું હશે. આ નોટોની ડીઝાઈન તેમજ સુરક્ષા વિશેષતાઓ, નિચે જણાવેલ મુદ્દાઓ સિવાય, મહાત્મા ગાંધી શૃંખલા-2005 અંતર્ગત અગાઉ બહાર પાડવામાં આવેલી અને બંને સંખ્યા પેનલોમાં વધતા કદના અંકો સહિતની ₹ 50 ના મૂલ્યવર્ગની બેંકનોટ જેવા હશે. અગ્રભાગ કોતરણીવાળુ મુદ્રણ અંક ‘50’, ભારતીય રિઝર્વ બેંકની મ્હોર, મહાત્મા ગાંધીનું ચિત્રપટ, ભારતીય રિઝર્વ બેંકનું ચિહ્ન, ગેરંટી તથા વચનની કલમ, ગવર્નરના હસ્તાક્ષર, અશોક સ્તંભ, જે અત્યાર સુધી કોતરણીવાળા મુદ્રણમાં મુદ્રિત કરવામાં આવતા હતા, તે હવે ઑફસેટ મુદ્રણ (ઉપસાવ્યા વગરના મુદ્રણમાં)માં છાપવામાં આવ્યા છે. તદ્ઉપરાંત, બેંકનોટની ડાબી બાજુ પર મુદ્રિત કરવામાં આવતું સમકોણ ઓળખ ચિહ્ન પણ હવે દૂર કરવામાં આવ્યું છે. રંગ બેંકનોટના પાછળના ભાગના રંગમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પણ અગ્ર ભાગનો રંગ સ્હેજ આછો થયો (ઉપસાવેલા મુદ્રણને દૂર કરવાને કારણે) છે. અવ્યક્ત છબી મહાત્મા ગાંધીના ચિત્રપટની જમણી બાજુ પર અત્યાર સુધી મૂલ્યવર્ગ ‘50’ દર્શાવવાવાળી એક અવ્યક્ત છબી જોવામાં આવતી હતી. આ છબી ત્યારે જ દેખાઈ દેતી હતી જ્યારે બેંક નોટને આંખના લેવલ લાવીને સમસ્તરે જોવામાં આવે. હવે આ વિશેષતા જોવામાં નહીં આવે. પૃષ્ઠ ભાગ બેંકનોટની પાછળના ભાગમાં કોઈ ફેરફાર નથી. નમૂનાની બેંકનોટની છબી આ મુજબ છે. ![]() ![]() અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2016-2017/751 |