<font face="mangal" size="3">વર્ષ 2005 પહેલાની બેંકનોટ – વિનિમય સુવિધામાં સંĒ - આરબીઆઈ - Reserve Bank of India
વર્ષ 2005 પહેલાની બેંકનોટ – વિનિમય સુવિધામાં સંશોધન
ભારિબેં/2015-2016/443 30 જૂન 2016 અધ્યક્ષ/પ્રબંધક નિદેશક/મુખ્ય કાર્યપાલક અધિકારી મહોદયા / મહોદય, વર્ષ 2005 પહેલાની બેંકનોટ – વિનિમય સુવિધામાં સંશોધન ઉપરોક્ત વિષય ઉપર કૃપા કરીને 23 ડિસેમ્બર 2015 નો અમારો પરિપત્ર ડીસીએમ (આયો) સ.જી-8/2331/10.27.00/2015-16 તેમજ 11 ફેબ્રુઆરી 2016 નો પરિપત્ર ડીસીએમ (આયો) સ.જી-9/2856/10.27.00/2015-16 તેમજ 23 ડિસેમ્બર 2015ની પ્રેસ વિજ્ઞપ્તિ જુઓ. 2. આપ જાણતા હશો કે જાન્યુઆરી 2014 ઉપરાંત વર્ષ 2005 પહેલાની બેંકનોટ પ્રસારણમાં થી પાછી લેવામાં આવી રહી છે તથા સતત પ્રયાસ પછી આ પ્રકારની મોટા ભાગની નોટો પાછી ખેંચી લેવામાં આવી છે. તેમ છતાં, આ નોટોમાંનો કેટલોક ભાગ હજી પ્રસારણમાં છે. સમીક્ષા કર્યા બાદ એમ નિર્ણય લેવામાં આવ્યો છે કે 2005 પહેલાની બેંકનોટોના વિનિમયનીસુવિધા કેવળ રિઝર્વ બેંકના નીચેના કાર્યાલયોમાં જ ઉપલબ્ધ રહેશે: અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મૂ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટણા અને તિરુવનંતપુરમ તથા કોચી. આ સૂચનોને તારીખ 30 જૂન 2016ની પ્રેસ વિજ્ઞપ્તિમાં પણ જણાવવામાં આવ્યા છે (પ્રતિલિપિ સંલગ્ન). 3. વર્ષ 2005 પહેલાની બધી જ નોટ વૈધ મુદ્રા તરીકે ચાલુ રહેશે. 4. આપને સૂચિત કરવામાં આવે છે કે કોઈ જનતાના માણસ આ પ્રકારની નોટોના વિનિમય માટે આપની શાખાનો સંપર્ક કરે તો કૃપા કરીને તેને યોગ્ય માર્ગદર્શન આપશો. 5. કૃપા કરીને એ પણ સુનિશ્ચિત કરશો કે આવી નોટ આપના કાઉન્ટર પરથી અથવા એટીએમના માધ્યમથી પુન:પ્રસરણમાં આવે નહીં. 6. કૃપા કરીને પ્રાપ્તિ સૂચના આપશો. ભવદીય, (પી. વિજયાકુમાર) |