RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78475595

આરબીઆઈ શ્રી છત્રપતિ અર્બન કો ઓપરેટીવ બેંક લી., પિમ્પલે નીલખ, પુણે, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરે છે

તારીખ: 08 ફેબ્રુઆરી 2017

આરબીઆઈ શ્રી છત્રપતિ અર્બન કો ઓપરેટીવ બેંક લી., પિમ્પલે નીલખ, પુણે, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરે છે.

ભારતીય રિઝર્વ બેન્કે શ્રી છત્રપતિ અર્બન કો ઓપરેટીવ બેંક લી., પિમ્પલે નીલખ, પુણે, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરેલ છે. આદેશનો અમલ 07 ફેબ્રુઆરી 2017 ના કામકાજના અંત થી કરવામાં આવ્યો હતો. રજિસ્ટ્રાર ઓફ કો – ઓપરેટીવ સોસાયટીઝ, મહારાષ્ટ્ર ને પણ બેન્કનું સમાપન કરવા માટે આદેશ જારી કરવાની અને ફડચા અધિકારી / લીક્વીડેટર ની નિમણૂંક કરવાની વિનંતી કરવામાં આવેલી છે.

ભારતીય રીઝર્વ બેન્કે લાયસન્સ રદ કર્યું કારણ કે:

  • બેંક, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (એ. એ.સી. એસ.) ની કલમ 11 (1) અને 18 ની જોગવાઈઓ નું પાલન કરતી ન હતી.

  • તેનો વહીવટ / કારોબાર વર્તમાન તેમજ ભાવી ડીપોઝીટરો તથા જાહેર જનતાના હિતને હાનીકારક રીતે તથા બી. આર. એક્ટ. 1949 (એ. એ.સી. એસ.) ની કલમ 22 (3) (a), 22(3) (b), 22 (3) (c ), 22 (3) (d), 22 (3) (e) તથા 24 નું ઉલ્લંઘન થાય તે રીતે કરવામાં આવતો હતો.

  • બેંક તેના વર્તમાન તથા ભાવી જમાકર્તાઓને તેમનો દાવો લેણો થાય ત્યારે પૂર્ણ રીતે ચૂકવવાની સ્થિતિમાં ન હતી.

  • બેંક ની નાણાકીય સ્થિતિ તેના પુનર્જીવન માટે કોઈ શક્યતા દર્શાવતી ન હતી.

  • જો બેક ને વધુ સમય બેન્કિંગ કારોબાર કરવા દેવા માં આવ્યો હોત તો જાહેર જનતાના હિતને વિપરીત અસર થઇ શકે તેમ હતી.

તેનું લાયસન્સ રદ કરવાના પરિણામે, શ્રી છત્રપતિ અર્બન કો ઓપરેટીવ બેંક લી., પિમ્પલે નીલખ, પુણે, મહારાષ્ટ્ર ને તાત્કાલિક અસર થી બી. આર. એક્ટ 1949 (એ. એ.સી. એસ.) ની કલમ 5 (b) માં વ્યાખ્યાયિત થયેલ “બેન્કિંગ” કારોબાર કરવાનો પ્રતિબંધ લગાવવામાં આવે છે.

લાયસન્સ ના રદ્દીકરણ અને ફડચાની કાર્યવાહી શરૂ થવા સાથે, ડીપોઝીટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડીટ ગેરંટી કોર્પોરેશન (ડી. આઈ. સી. જી. સી.) એક્ટ, 1961 અનુસાર, શ્રી છત્રપતિ અર્બન કો ઓપરેટીવ બેંક લી., પિમ્પલે નીલખ, પુણે, મહારાષ્ટ્ર ના ડીપોઝીટરોને ચૂકવણી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ફડચાના સમયે, પ્રત્યેક જમાકર્તા ડીપોઝીટ ઇન્સ્યોરન્સ અને ક્રેડીટ ગેરંટી કોર્પોરેશન (ડી. આઈ. સી. જી. સી.) પાસેથી સામાન્ય શરતો અને જોગવાઈઓ મુજબ તેની / તેણીની ડીપોઝીટ નું રૂપિયા 1,00,000/- (રૂપિયા એક લાખ) ની નાણાકીય સીમા સુધી રીપેમેન્ટ મેળવવા હકદાર છે.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016 – 2017/2133

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?