<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંકે બ્રહ્માવર્ત કોમર્શિયલ Ď - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે બ્રહ્માવર્ત કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ નું લાઇસન્સ રદ્દ કર્યું.
૪ જુલાઈ ૨૦૧૮ ભારતીય રિઝર્વ બેંકે બ્રહ્માવર્ત કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ નું લાઇસન્સ રદ્દ કર્યું. ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઇ એ) ૨૬ જુન ૨૦૧૮ ના આદેશ મુજબ ૩ જુલાઈ ૨૦૧૮ના રોજ કારોબાર ની સમાપ્તિ થી અસરમાં બેંકિંગ વ્યવસાય ચાલુ રાખવા માટે બ્રહ્માવર્ત કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશનું લાઇસન્સ રદ કર્યું છે. સહકારી મંડળીઓ ના રજિસ્ટ્રાર, ઉત્તરપ્રદેશ ને પણ બેંકનો કારોબાર સમાપ્ત કરવા આદેશ જારી કરવા તથા બેંક માટે ફડચા અધિકારી (લીક્વીડેટરની) ની નિમણુંક કરવાની વિનંતી કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંકે આ બેંકનું લાઇસન્સ રદ કર્યું છે કારણ કે :
લાયસન્સ રદ કરવાના પરિણામે, બ્રહ્માવર્ત કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ પર 'બેંકિંગ'ના વ્યવસાયનું સંચાલન કરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ છે જેમાં બેંકિંગ વિનિયમ અધિનિયમ,૧૯૪૯ ની કલમ ૫૬ સાથે વંચાતી કલમ ૫(બી) માં વ્યાખ્યાયિત થાપણોની સ્વીકૃતિ તથા થાપણોની ચુકવણી શામેલ છે લાઇસન્સ રદ્દીકરણ અને લીક્વીડેશન (ફડચા) કાર્યવાહી શરૂ કરવા સાથે, ડીઆઈસીજીસી અધિનિયમ,૧૯૬૧ મુજબ બ્રહ્માવર્ત કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશના થાપણદારોને ચુકવણી કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે. લીક્વીડેશન થવા પર, દરેક થાપણદાર ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન (ડીઆઈસીજીસી) પાસેથી સામાન્ય નિયમો અને શરતો અનુસાર તેની / તેણીની થાપણોની ₹ ૧,૦૦,૦૦૦/- (માત્ર એક લાખ રૂપિયા) સુધીની નાણાંકીય મર્યાદા સુધી પરત ચુકવણી માટે હકદાર છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/25 |