<font face="mangal" size="3px">આરબીઆઈ બનાવટી ઈ-મેલ વિષે ચેતવણી આપે છે</font> - આરબીઆઈ - Reserve Bank of India
આરબીઆઈ બનાવટી ઈ-મેલ વિષે ચેતવણી આપે છે
તારીખ: 04 જુલાઈ 2018 આરબીઆઈ બનાવટી ઈ-મેલ વિષે ચેતવણી આપે છે ભારતીય રિઝર્વ બેંક સમયાંતરે આરબીઆઈના નામનો ઉપયોગ કરતા અને સામાન્ય જનતાને છેતરતા અનૈતિક તત્વોની પ્રવૃત્તિઓ વિષે ભારપૂર્વક પુન:ઉચ્ચારણ કરે છે. આવા તત્વો આરબીઆઈના બનાવટી લેટર હેડ નો ઉપયોગ કરે છે, આરબીઆઈના કર્મચારીઓ હોવાનો સ્વાંગ ધારણ કરીને ઈ-મેલ મોકલે છે અને લોકોને બનાવટી ઓફરો / લોટરીમાં જીત / વિદેશમાંથી વિદેશી ચલણમાં સસ્તું ફંડ મોકલવાનું પ્રલોભન આપે છે. લક્ષાંકિત જનતાને કરન્સી પ્રોસેસિંગ ફી, વિદેશી ચલણ રૂપાંતર ફી, પૂર્વચૂકવણી વગેરે સ્વરૂપે નાણા આપવાની ફરજ પાડે છે. આરબીઆઈ તેના “જાહેરજનતા જાગરૂકતા અભિયાન” ના ભાગ રૂપે વિવિધ પદ્ધતિઓ જેવી કે જાહેર જનતાના સભ્યોને એસએમએસ મોકલવા, આઉટડોર જાહેરાત આપવી અને જાગરૂકતા માટે ફિલ્મો પ્રદર્શિત કરવી વગેરે દ્વારા બનાવટી ઈ-મેલ પર જાગૃતિ ફેલાવી રહેલ છે. આરબીઆઈ નીચેનાનું પુન:ઉચ્ચારણ કરે છે:
જાહેર જનતાના સભ્યોને આવા લોકો / એકમો તરફથી મળતા સંદેશા વ્યવહારનો પ્રત્યુત્તર નહી આપવાની અને આરબીઆઈના નામના કપટયુક્ત ઈ-મેલનો શિકાર નહી બનવાની સલાહ આપવામાં આવે છે. જોશ જે. કત્તૂર પ્રેસ પ્રકાશન: 2018-2019/34 |