આરબીઆઈ સ્પષ્ટ કરે છે કે આધારને બેંક ખાતાઓ સાથે જોડવાનું ફરજિયાત છે
ઑક્ટોબર 21, 2017 આરબીઆઈ સ્પષ્ટ કરે છે કે આધારને બેંક ખાતાઓ સાથે જોડવાનું ફરજિયાત છે માહિતીના અધિકારના અરજીપત્રકના જવાબનો ટાંકીને કેટલાક સમાચાર-પત્રો (માધ્યમો) માં સમાચાર આવ્યા છે કે બેંક ખાતાઓ સાથે આધાર નંબરને જોડાવાનું ફરજિયાત નથી. રિઝર્વ બૅંક સ્પષ્ટતા કરે છે કે લાગુ પડતા કેસોમાં, 1 જૂન, 2017 ના રોજ સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત કરાયેલ મની લોન્ડરિંગ (રેકોર્ડ જાળવણી) બીજો સુધારો નિયમો 2017 હેઠળ આધાર નંબરનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ કરવું અનિવાર્ય છે. આ નિયમો વૈધાનિક પીઠબળ ધરાવે છે અને વધુ સૂચનાઓની રાહ જોયા વગર બેંકોને તેનો અમલ કરવો પડશે. જોસ જે. કટ્ટુર પ્રેસ પ્રકાશન: 2017-2018/1089 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: