<font face="mangal" size="3px">આરબીઆઇ એ સ્પષ્ટ કર્યું છે કે ચલણની કોઈ તંગી નથ - આરબીઆઈ - Reserve Bank of India
આરબીઆઇ એ સ્પષ્ટ કર્યું છે કે ચલણની કોઈ તંગી નથી
એપ્રિલ 17, 2018 આરબીઆઇ એ સ્પષ્ટ કર્યું છે કે ચલણની કોઈ તંગી નથી મીડિયાના એક વિભાગમાં એવું કહેવામાં આવ્યું છે કે દેશના અમુક ભાગોમાં ચલણની અછત છે. પ્રારંભમાં જ એ સ્પષ્ટ કરવામાં આવે છે કે આરબીઆઈ ના વોલ્ટસ અને કરન્સી ચેસ્ટોમાં પૂરતી રોકડ છે. તેમ છતાં, તમામ 4 નોટ પ્રેસમાં નોટ્સ છાપવાનું વધારવામાં આવી રહ્યું છે. મોટેભાગે એટીએમમાં વારંવાર નોટો ફરી ભરવામાં હેરફેર(પરિવહન) ના મુદ્દાને કારણે તથા હાલમાં ચાલી રહેલા એટીએમના પુનઃમાપાંકન (recalibration) ને કારણે કેટલાક ભાગમાં અછત અનુભવાય છે. આ બંને પાસાઓ પર આરબીઆઈ બારીકાઈથી નજર રાખી રહી છે. વધુમાં, અતિશય સાવચેતીના મુદ્દે, જે વિસ્તારોમાં રોકડનો અસામાન્ય રીતે ઉપાડ થઇ રહ્યો છે ત્યાં ચલણ મોકલવા માટે આરબીઆઈ પગલાં લઈ રહી છે. જોસ જે. કટ્ટુર પ્રેસ પ્રકાશન: 2017-2018/2758 |