<font face="Mangal" size="3">આર .બી.આ ઈ. દ્વારા નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લē - આરબીઆઈ - Reserve Bank of India
આર .બી.આ ઈ. દ્વારા નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,નાગપુર ,મહારાષ્ટ્ર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં ફરીથી 15 જુલાઈ 2018 સુધી વધારો
તારીખ : જાન્યુઆરી 24, 2018 આર .બી.આ ઈ. દ્વારા નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,નાગપુર ,મહારાષ્ટ્ર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં ફરીથી 15 જુલાઈ 2018 સુધી વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, નાગપુર, મહારાષ્ટ્ર ને અગાઉ આપેલા નિર્દેશ ની મુદત વધુ 6 મહીના માટે વધારી છે. આ નિર્દેશો હવેથી 15 જુલાઈ 2018 સુધી માન્ય રહેશે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) (એએસીએસ) થી મળેલી સત્તા અંતર્ગત આ નિર્દેશો જારી કરવામાં આવ્યા છે. રસ ધરાવતી જનતા ની જાણ માટે આ નિર્દેશોની નકલ બેંક ના કાર્યાલય ના મકાન માં પ્રદર્શિત કરેલી છે. રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલા નિર્દેશો નો ગર્ભિત મતલબ એ નથી કે રિઝર્વ બેંકે બેન્કિંગ લાયસન્સ રદ કર્યું છે. આ બેંક તેનો બેન્કિંગ નો ધંધો તેની નાણાકીય પરિસ્થિતિ સુધરે નહિ ત્યાં સુધી અંકુશો ને આધીન રહીને ચાલુ રાખી શકશે. પરિસ્થિતિ અનુસાર રિઝર્વ બેંક આ નિર્દેશો માં સુધારા કરી શકશે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2017-2018/2028 |