<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેંકે ટિયર-III થી VI સુધીના કેન્દ્ર&# - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે ટિયર-III થી VI સુધીના કેન્દ્રો માટે વેચાણ કેન્દ્રો પર નગદ ઉપાડની મર્યાદા બમણી કરી
27 ઓગષ્ટ 2015 ભારતીય રિઝર્વ બેંકે ટિયર-III થી VI સુધીના કેન્દ્રો માટે વેચાણ કેન્દ્રો ભારતીય રિઝર્વ બેંકે ટિયર- III થી VI સુધીના કેન્દ્રો માં વેચાણ કેન્દ્રો (point-of-sale) પર નગદ ઉપાડની મર્યાદા દિવસ દીઠ ₹ 1000/- થી ₹ 2000/- કરીને બમણી કરી છે. આ સુવીધા ફક્ત ડેબીટ કાર્ડો અને બેંકો દ્વારા જારી કરવામાં આવતા ઓપન સિસ્ટમ પ્રીપેઈડ કાર્ડો માટે જ ઉપલબ્ધ રહેશે. એમ આશા રાખવામાં આવે છે કે ઉપાડની રકમમાં વધારો કરવાને કારણે ગ્રાહક સુવિધામાં વૃદ્ધિ થશે અને તેનાથી ટિયર- III થી VI સુધીના કેન્દ્રોમાં નગદના પુન:ચક્રભ્રમણમાં મદદ મળશે, ભલે અલ્પ નગદવાળા સમાજના નિર્માણને મહત્વ આપવામાં આવતું હોય. ઈ-ચૂકવણી તથા અન્ય સંબંધિત સુવિધાઓમાં થતા વિકાસને ધ્યાનમાં રાખીને આ સુવિધાની સમીક્ષા કરવામાં આવશે. જ્યાં સુધી ટિયર- I થી II સુધીના કેન્દ્રોનો પ્રશ્ન છે, દિવસ દીઠ ₹ 1000/- ની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. શુલ્કના માળખામાં પારદર્શીતા લાવવાની દ્ષ્ટિથી બેંકોને સૂચના આપવામાં આવી છે કે બધા કેન્દ્રોમાં ગ્રાહક પાસેથી વસુલવામાં આવતું શુલ્ક, જો કોઈ હોય તો, તે વ્યવહારની રકમના એક ટકાથી વધુ ન હોવો જોઈએ. બધી જ વ્યાપારી સંસ્થાઓ, જ્યાં આ સુવિધા સક્રિય કરવામાં આવી છે, ત્યાં ગ્રાહકોને નગદ ઉપાડની ઉપલબ્ધતા તેમજ તે માટે ગ્રાહકે ભરવાનુ થતું શુલ્ક, જો કોઈ હોય તો, અંગેની સૂચના સ્પષ્ટરીતે પ્રદર્શીત કરવામાં આવે. કાર્ડધારક આ સુવિધાનો લાભ ઉઠાવી શકે છે, ભલે તે ખરીદી કરે કે ન કરે. કાર્ડધારકો એ તેમના કાર્ડ વેચાણ કેન્દ્રો પર એવી રીતે સ્વાઇપ કરવાના રહેશે અને પ્રમાણભૂતતા પ્રસ્થાપિત કરવાના હેતુથી પીઆઈએન (PIN) પૂરો પાડવાનો રહેશે કે જેવી રીતે એટીએમમાં થી નગદ રકમ ઉપાડતી વખતે કરવામાં આવે છે. એ યાદ હશે કે જુલાઈ, 2009માં ભારતીય રિઝર્વ બેંકે ડેબિટ કાર્ડો માટે વેચાણ કેન્દ્રો (પીઓએસ) પરથી નગદ ઉપાડની મંજૂરી આપી હતી. ત્યારપછી, સપ્ટેમ્બર 2013 માં આ સુવિધા બેંકો દ્વારા જારી કરવામાં આવતા પ્રી-પેઈડ કાર્ડો ઉપર પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. અલ્પના કિલ્લાવાલા પ્રેસ પ્રકાશન : 2015-2016/511 |