આરબીઆઇ બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 06 જાન્યુઆરી 2017 આરબીઆઇ બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 07 જાન્યુઆરી 2017 થી 06 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 07 જુલાઈ 2015 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો હેઠળ છે. ઉપરોક્ત નિર્દેશ ને સુધારવામાં આવ્યો હતો અને તેની વૈધ્યતા 06 જાન્યુઆરી 2017 સુધી લંબાવવામાં આવી હતી. તારીખ 30 ડીસેમ્બર 2016 ના નિર્દેશ દ્વારા તેને આગળ 06 જુલાઈ 2017 સુધી લંબાવવામાં આવેલ છે. તારીખ 30 ડીસેમ્બર 2016 ના નિર્દેશ ની એક નકલ જાહેરજનતાના અવલોકન માટે બેંકના મકાનમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ભારતીય રીઝર્વ બેંક દ્વારા નિર્દેશ ના સુધારા નું અર્થઘટન બેંક ની નાણાંકીય સ્થિતિમાં સુધારો અથવા બગાડ તરીકે ન કરવું જોઈએ. સંજોગોના આધારે રીઝર્વ બેંક આ નિર્દેશોમાં સુધારાઓ અંગે વિચારણા કરી શકે છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/1807 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: