<font face="mangal" size="3">આર બી આઈ એ ધી એચસીબીએલ કો-ઓપરેટીવ બૅન્ક લિમિટે& - આરબીઆઈ - Reserve Bank of India
આર બી આઈ એ ધી એચસીબીએલ કો-ઓપરેટીવ બૅન્ક લિમિટેડ, લખનઉ, ઉત્તર પ્રદેશનાં નિર્દેશોનાં સમય ગાળાને વિસ્તાર્યો
13 ઓક્ટોબર 2017 આર બી આઈ એ ધી એચસીબીએલ કો-ઓપરેટીવ બૅન્ક લિમિટેડ, લખનઉ, ઉત્તર પ્રદેશનાં નિર્દેશોનાં સમય ગાળાને વિસ્તાર્યો ભારતીય રિઝર્વ બેન્કે ધી એચસીએલએલ કો-ઓપરેટીવ બૅન્ક લિમિટેડ, લખનઉ ને જારી કરેલ નિર્દેશોને, સમીક્ષાને આધીન, ૧૬ ઓક્ટોબર ૨૦૧૭ થી ૧૫ એપ્રિલ ૨૦૧૮ સુધી, અર્થાત, આગામી છ મહિના માટે, વિસ્તાર્યા છે. તારીખ ૧૦ એપ્રિલ ૨૦૧૫ નાં નિર્દેશો મુજબ આ બેંક તારીખ ૧૬ એપ્રિલ ૨૦૧૫ નાં રોજ કારોબાર ની સમાપ્તિથી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ છે તે) ની કલમ 35-A હેઠળ જારી કરેલ નિર્દેશો હેઠળ છે જેને તારીખ ૯ ઓકટોબર ૨૦૧૭ નાં નિર્દેશો અનુસાર ૧૫ એપ્રિલ ૨૦૧૮ સુધી વધુ લંબાવેલ છે. નિર્દેશોની અન્ય શરતો અને નિયમો યથાવત રહેશે. તારીખ 9 ઓક્ટોબર, 2017 ના નિર્દેશોની પ્રતિ લોકોના અવલોકાનાર્થ બેંકના પરિસરમાં દર્શાવવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા નિર્દેશોના સુધારાનું આપમેળે એવું અર્થઘટન ન થવું જોઈએ કે બેન્કની નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કે ખરાબી છે. સંજોગોને આધીન રહીને રિઝર્વ બેંક નિર્દેશોમાં સુધારા વધારા કરવાનું વિચારી શકે છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/1032 |