આરબીઆઈ સન્મિત્રા સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 14 ડીસેમ્બર 2016 આરબીઆઈ સન્મિત્રા સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે તારીખ 14 જૂન 2016 ના ડાયરેકટીવ દ્વારા સન્મિત્રા સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને 14 જૂન 2016 ના કામકાજ ના અંત થી છ માસ ના સમય માટે નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. અમારા તારીખ 07 ડીસેમ્બર 2016 ના સુધારેલા ડાયરેકટીવ અન્વયે, સમીક્ષાને અધીન, નિર્દેશોની વૈધ્યતા વધુ છ માસ ના સમય માટે 15 ડીસેમ્બર 2016 થી 14 જૂન 2017 સુધી લંબાવવામાં આવી છે. સંદર્ભ હેઠળના આદેશની અન્ય શરતો યથાવત રહેશે. ઉપરના સુધારા ને સૂચિત કરતા તારીખ 07 ડીસેમ્બર 2016 ના ડાયરેકટીવ ની એક નકલ બેંક ના કાર્યાલય માં જાહેર જનતા ના અવલોકન માટે પ્રદર્શિત કરવામાં આવી છે. ભારતીય રીઝર્વ બેંક નો ઉપરોક્ત સુધારો એવું અર્થઘટન સૂચવતો નથી કે બેંક ની નાણાંકીય સ્થિતિમાં વાસ્તવિક સુધારાથી ભારતીય રીઝર્વ બેંક સંતુષ્ટ છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2016 – 2017/1523 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: