<font face="mangal" size="3">આર. બી.આ ઈ. દ્વારા બ્રહ્માવત કોમર્સિયલ કો-ઓપરેટ - આરબીઆઈ - Reserve Bank of India
આર. બી.આ ઈ. દ્વારા બ્રહ્માવત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,કાનપુર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત ની માન્યતા માં કરાયેલ વધારો
તારીખ : માર્ચ 06, 2018 આર. બી.આ ઈ. દ્વારા બ્રહ્માવત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,કાનપુર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે (આર.બી.આઈ.) બ્રહ્માવત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,કાનપુર, ઉત્તર પ્રદેશ ને આપેલા નિર્દેશ ની મુદત તારીખ 07 માર્ચ 2018 થી 06 જુલાઈ 2018 સુધી વધુ 4 મહીના માટે વધારી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 35A (1) (એએસીએસ) અંતર્ગત તારીખ 30 જુન 2015 થી જારી કરેલા નિર્દેશ અનુસાર, આ બેંક તારીખ 07 જુલાઈ 2015 થી નિર્દેશો હેઠળ હતી. ઉપરના નિર્દેશોમાં સુધારાઓ કરવામાં આવેલા /તેની મુદત ની માન્યતામાં માં આર. બી.આઈ ના તારીખ 23 સપ્ટેમ્બર 2015, 30 ડીસેમ્બર 2015, 28 માર્ચ 2016, 30 જુન 2016, 30 ડીસેમ્બર 2016, 29 જુન 2017 અને 01 નવેમ્બર 2017 ના નિર્દેશો થી વધારો કરવામાં આવેલો. આ નિર્દેશો ની માન્યતા જે છેલ્લે 06 માર્ચ 2018 સુધી વધારવામાં આવેલી તેને સમીક્ષા કર્યા બાદ તારીખ 01 માર્ચ 2018 ના નિર્દેશ થી તારીખ 07 માર્ચ 2018 થી 06 જુલાઈ 2018 સુધી વધુ 4 મહિના માટે વધારવામાં આવી છે. આ નિર્દેશો ની બીજી શરતો જેમ હતી તેમજ રહેશે. જાહેર જનતા ની જાણ માટે તારીખ 01 માર્ચ 2018 ના નિર્દેશ ની નકલ બેંક ના કાર્યાલય ના મકાન માં પ્રદર્શિત કરેલી છે. રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલા નિર્દેશો નો ગર્ભિત મતલબ એ નથી કરવાનો કે બેંક ની નાણાકીય પરિસ્થિતિ માં સુધારો કે ઘટાડો થયો છે. પરિસ્થિતિ અનુસાર રિઝર્વ બેંક આ નિર્દેશો માં સુધારા કરી શકશે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2017-2018/2361 |