<font face="mangal" size="3">આરબીઆઈ એ ધી ઇન્ડિયન મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બે - આરબીઆઈ - Reserve Bank of India
આરબીઆઈ એ ધી ઇન્ડિયન મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લિ., લખનૌ, ઉત્તરપ્રદેશ ને જારી કરેલ નિર્દેશોની માન્યતાના સમય ગાળાને વિસ્તાર્યો
૮ સપ્ટેમ્બર ૨૦૧૭ આરબીઆઈ એ ધી ઇન્ડિયન મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લિ., લખનૌ, ઉત્તરપ્રદેશ ને જારી કરેલ નિર્દેશોની માન્યતાના સમય ગાળાને વિસ્તાર્યો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) એ ધી ઇન્ડિયન મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લિ., લખનૌ, ઉત્તરપ્રદેશ ને જારી કરેલ નિર્દેશોનાં સમયગાળાને ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૭ થી ૧૧ માર્ચ ૨૦૧૮ સુધી , અર્થાત, વધુ છ મહિના સુધી વિસ્તાર્યો છે જે સમીક્ષા હેઠળ હશે. આ બેંક, તારીખ ૪ જુન ૨૦૧૪ નાં આદેશ અનુસાર બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને જે લાગુ પડે તે) ની કલમ 35A ની પેટા કલમ (૧) હેઠળ તારીખ ૧૨ જુન ૨૦૧૪ થી નિર્દેશો હેઠળ હતી. તારીખ ૩૦ જુલાઈ ૨૦૧૪, ૮ ડીસેમ્બર ૨૦૧૪, ૨ જુન ૨૦૧૫, ૭ સપ્ટેમ્બર ૨૦૧૫, ૧૯ ઓક્ટોબર ૨૦૧૫, ૭ ડીસેમ્બર ૨૦૧૫, ૪ માર્ચ ૨૦૧૬, ૨ સપ્ટેમ્બર ૨૦૧૬, ૨૫ નવેંબર ૨૦૧૬, અને ૯ માર્ચ ૨૦૧૭ નાં રોજ આરબીઆઇ એ જારી કરેલ આદેશો અનુસાર ઉપરોક્ત નિર્દેશો સંશોધિત થયા હતા / તેની માન્યતા લંબાવી હતી. નિર્દેશો ની માન્યતા જે છેલ્લે ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી લંબાવેલ હતી તેને ૧ સપ્ટેમ્બર ૨૦૧૭ નાં રોજ જારી કરેલ આદેશ મુજબ બીજા છ મહિના માટે, એટલે કે ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૭ થી ૧૧ માર્ચ ૨૦૧૮ સુધી લંબાવેલ છે જે સમીક્ષાને અધીન હશે. તા. ૧ સપ્ટેમ્બર ૨૦૧૭ ના નિર્દેશની એક નકલ જાહેર જનતાના અવલોકન માટે બેંકના પરિસરમાં દર્શાવવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા નિર્દેશોના સુધારાનું આપમેળે એવું અર્થઘટન ન થવું જોઈએ કે બેન્કની નાણાકીય સ્થિતિમાં સુધારો કે ખરાબી છે. સંજોગોને આધીન રહીને રિઝર્વ બેંક નિર્દેશોમાં સુધારા વધારા કરવાનું વિચારી શકે છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/683 |